ઉપ સળ અને આજુબાજુના ગામોમાં ઇટના ભઠ્ઠા ના માલિકો દ્વારા મોટા પ્રમાણમાં માટે ખનન થતું હોવાને રાવ
![ઉપ સળ અને આજુબાજુના ગામોમાં ઇટના ભઠ્ઠા ના માલિકો દ્વારા મોટા પ્રમાણમાં માટે ખનન થતું હોવાને રાવ](http://cpnews24.in/wp-content/uploads/2022/11/52.jpg)
વાસંદા તાલુકામાં છેલ્લા કેટલાક વર્ષોથી કાયદેસર કે ગેરકાયદેસર અનેક ઇટના ભઠ્ઠાઓ ચાલી રહ્યા છે
જેમાં ઇટના ભઠ્ઠા ચલાવનાર દ્વારા ગેરકાયદેસર ખનન થઈ રહ્યું છે
તંત્ર દ્વારા પણ આંખ આડા કાન કરી બેસી ગયા હોય એમ લાગી રહ્યું છે
સ્થાનિક આદિવાસીઓને ખુશ લાવી તેમની જમીનમાં ભાડા પેટે લઈ ઈટ પકવવાથી લઈને તેમના ખેતરમાંથી માટીનું પણ ગેરકાયદેસર રીતે ખનન કરવામાં આવી રહ્યું છે
નવસારી ખાણ અને ખનીજ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો ચોકાવનારી વિગતો બહાર આવવાની શક્યતાઓ રહેલી છે
વાસંદા તાલુકામાં ગેરકાયદેસર ચાલતા કેટલાક ઇટના ભઠ્ઠા ના માલિકો દ્વારા સરકારના નીતિ નિયમો મુજબ ટેક્સ કે ઘર ભર્યા વગર
સ્થાનિક આદિવાસી ખેડૂતો પાસે જમીન ભાડે પટ્ટે રાખી આ જમીનમાં ગેરકાયદેસર ઇટના ભથ્થાઓધમ ધમાવી રહ્યા છે
તેમ જ આ ઈંટના ભઠ્ઠાઓ વાળા પોતાની મનમાની કરી લાખો રૂપિયાની રોકડી પણ કરી રહ્યા છે
હાલ આ ગેરકાયદેસર ઇટના ભઠ્ઠા અને ગેરકાયદેસર માટેનું ખનન અને એની આજુબાજુના અનેક ગામો સહિત અંતરિયાળ વિસ્તારના ગામોમાં પણ ધમધમી રહ્યા છે
પ્રાપ્ત વિગત મુજબ ગરીબ આદિવાસી ખેડૂતો પોતે ઇટના ઉભા કરતા નથી
પરંતુ બહારથી આવેલા ઈસમો આ ધંધો ચલાવી રહ્યા છે
વહીવટી તંત્રની નાક નીચે તાલુકાના ખૂણે ખૂણે આવા અનેક ગેરકાયદેસર ઇટના ધમધામી રહ્યા છે
પરંતુ જવાબદાર અધિકારીઓના પેટનું પાણી નથી હાલતું.
આ તમામ ભઠ્ઠાઓ બંધ કરવાની માગ સ્થાનિકોમાં ઊઠી રહી છે
ભઠ્ઠા માલિકો દ્વારા ઈંટ પકવવા માટે વેસ્ટ કેમિકલ નો ઉપયોગ ખુલ્લેઆમ કરવામાં આવતા હોવાનું પ્રદૂષણ વધી રહ્યું છે
આવા તત્વો સામે સરકાર લાખ લાલ આંખ કરે જરૂરી બન્યું છે
વાસંદા તાલુકામાં ઠેર ઠેર ગેરકાયદેસર ચીમની વગરના ઇટના ભઠ્ઠાઓ ધમધમી રહ્યા છે
જે ઇટના ભઠ્ઠા માલિકોએ જિલ્લા કે તાલુકા કક્ષાએથી કોઈ પણ પ્રકારની પરવાનગી લીધી નથી
ગ્રામ પંચાયતની પણ પરવાનગી વગર પર પ્રાંતિય માલિકો દ્વારા ઈટના ભઠ્ઠાઓ ચાલુ કરવામાં આવ્યા છે
ખેતીની જમીન પર આડેધડ માટીનું ખોદકામ કરી જમીનને નુકસાન પહોંચાડી રહ્યા છે
પરપ્રાંતિય લોકો દ્વારા ગોળા આદિવાસીઓને થોડા પૈસા કે ઘર બનાવવા ઇટની લાલચ આપીને ખેતર ભાડા પેટે લઈ એ ખેતીલાયક જમીનમાં ઇતના ભઠ્ઠા ઉભા કરી જમીનનું નિકંદન કાઢી નખાય છે
તેમજ તેમની જમીનમાંથી માટીનું ખનન પણ કરાવી છે ઈંટોને પાકી કરવા માટે ભઠ્ઠામાં શેરડીનું વેર ઉસકી અને
ખનીજ કોલસા નો ઉપયોગ કરવામાં આવે છે જાહેર રસ્તા ને અડીને આવેલા ભઠ્ઠામાં વપરાતા ખનીજ કોલસાની ઉડતી રજ કણોથી લોકોના સ્વાસ્થયને નુકસાન થઈ રહ્યું છે
અને ધુમાડાના કારણે વાતાવરણ પ્રદૂષિત થાય છે