આસારામની આશ્રમ થી જેલ સુધીની સફર..

પ્રતીકાત્મક તસવીર:આસારામની આશ્રમ થી જેલ સુધીની સફર..

આસારામની આશ્રમ થી જેલ સુધીની સફર..

પ્રતીકાત્મક તસવીર:આસારામની આશ્રમ થી જેલ સુધીની સફર..
પ્રતીકાત્મક તસવીર:આસારામની આશ્રમ થી જેલ સુધીની સફર..

 

 

 

૪૦૦ આશ્રમો અને ૪ કરોડ ભક્તો છતાં કેમ ગંદા કામ કરવાની જરૂર પડી આ હતું કારણ..?

સેકડો આશ્રમો, લાખો ભક્તો, રોજના ઉપદેશ આદર નામ કીર્તિ બધા પ્રેમીઓએ તેને શું ન આપ્યું પરંતુ તેણે તે રસ્તો પસંદ કર્યો.

જેની મંઝિલ જેલ હતી..

ભક્તો તેમને ભગવાન તરીકે પૂજતા હતા

તેમનો દરેક શબ્દ પથ્થરની રેખા સમાન ગણાતો હતો

તેમના અનુયાયીઓ ને તેમનામાં વિશ્વાસ હતો

પરંતુ તેમના પર લાગેલા જગન્ય આરોપો પછી લોકોનો વિશ્વાસ ડગ મગી ગયો હતો

આરોપો પછી પોતાને સંત કહેનારા આ વ્યક્તિના જીવનમાં એવું તોફાન આવ્યું કે વર્ષો પછી પણ તે શાંત થઈ શક્યું નથી

આ આસારામ બાપુ એટલે કે અસુમલન હર પલાનિ ની વાર્તા છે જેમણે ધર્મ અને આસ્થાને ધંધો બનાવી દીધો

એક જમાનામાં દેશના મોટા મોટા નેતાઓ તેના દરબારમાં હાજરી આપતા હતા.

તેમના અનુયાયીઓ માં ઘણા મોટા નેતાઓ બોલીવુડ સ્ટાર, મોટા ઉદ્યોગપતિઓ અને અન્ય પ્રખ્યાત હસ્તીઓ સામેલ છે

હવે આસારામનું જીવન જેલની અંધકાર કોટડીમાં પસાર થઈ રહ્યું છે મુક્તિ તો દૂરની વાત જામીન પણ મળતા નથી

સુપ્રીમ કોર્ટમાં કેટ કેટલીય વખત જામીન અરજી દાખલ કરવામાં આવી

પરંતુ દર વખતે ફંગાવી દેવામાં આવી

આસારામને બચાવવા માટે સૌથી મોટા વકીલે કેસ લડ્યો

આખરે એવું તો શું થયું કે એક સંત દેશનો મોટો ગુનેગાર બની ગયો.

આજે અમે તમને આસારામની સંપૂર્ણ ક્રાઇમ કુંડળી વિશે જણાવીશું કે કેવી રીતે આશારામનુ આ મોટું સામ્રાજ્ય થોડા વર્ષોમાં સંપૂર્ણ રીતે તૂટી ગયું

અસુમલન હરપલાની નો જન્મદિવસની આઝાદીના છ વર્ષ પહેલા ૧૯૪૧ માં સિદ્ધ પ્રાંત હવેના પાકિસ્તાનમાં થયો હતો ચોથા ધોરણ સુધી ભણ્યા પછી તેણે શાળા છોડી દીધી

૧૯૪૭ માં ભારતના ભાગલા સાથે અસુમલન હર પલાણી અથવા આસારામનો પરિવાર ભારતમાં સ્થળાંતર થયો તેમનો આખો પરિવાર અમદાવાદ ગુજરાતમાં રહેવા લાગ્યો

આસારામના પિતા અમદાવાદમાં જ કોલસા અને લાકડાનો વેપાર કરતા હતા

પરંતુ આસુમલ નું મન તેમાં લાગેલું ન હતું

ટોર્ગા ચલાવવી સાયકલની દુકાનમાં કામ કરવું જેવી નાની નાની નોકરી..

પણ આસારામનું સપનું કંઈક બીજું હતું થોડા સમય બાદ આસારામ કચ્છના સંત લીલાશાહ બાબા ના આશ્રમમાં પહોંચ્યા હતા

તે લીલાશાહના અનુયાયી હોવાનો દાવો કરતો રહ્યો

જો કે એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે સંત લીલાશાહ બાબાએ ક્યારેય આસારામ ને પોતાના શિષ્ય તરીકે સ્વીકાર્યા નથી

સત્ય ગમે તે હોય આશારામ લાંબા સમય સુધી પોતાના દાવાને સત્ય તરીકે રજૂ કરતા રહ્યા

આસારામના ભક્તોના જણાવ્યા અનુસાર લીલાશાહ ના આશ્રમમાં જ આંસુમલન નું નામ બદલીને આસારામ બાપુ રાખવામાં આવ્યું હતું

ચમકતા સફેદ કપડા, સફેદ દાઢી, લોકોમાં પ્રવચન આસારામે ૭૦ ના દાયકામાં જ અમદાવાદમાં પોતાને સંત બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું

આસારામનો પહેલો આશ્રમ અમદાવાદના મોટેરા માં સાબરમતી નદીના કિનારે બાંધવામાં આવ્યો હતો

ધીમે ધીમે લોકોની ભીડ એકઠી થવા લાગી

પહેલા આજુબાજુના ગરીબ અને પછાત જાતિના લોકો નવા ગુરુના શિષ્ય બન્યા આશ્રમમાં પ્રવચન પછી લોકોને પ્રસાદ તરીકે ભોજન વહેંચવામાં આવ્યું

જેના કારણે આસારામના ભક્તોની સંખ્યા વધવા લાગી

થોડા જ વર્ષોમાં આસારામે ગુજરાતમાં લોકોમાં પોતાનું સ્થાન બનાવી દીધું

આશ્રમમાં પ્રસાદ ના રૂપમાં સારા પૈસા આવવા લાગ્યા

ગુજરાતમાં જ આશારામ ના નવા આશ્રમો ખુલવા લાગ્યા આસારામના પુસ્તકો વેચવા લાગ્યા

આ ઉપરાંત આશ્રમમાં જ આશ્રમમાં આવતા લોકોને ધૂપ, પ્રસાદ, ગૌમૂત્ર જેવી અનેક પ્રકારની વસ્તુઓનું વેચાણ કરવામાં આવતું હતું

જેમ જેમ આસારામની પ્રસિદ્ધિ વધી રહી હતી

તેમ તેમ તેના અનુયાયીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી હતી હવે ગુજરાતની બહાર પણ આસારામના ભક્તો હતા

૯૦ ના દાયકા ના અંત સુધીમાં દેશના ઘણા મોટા નામ આસારામના અનુયાયીઓ સાથે જોડાયા હતા

આસારામના દેશભરમાં જ નહીં વિદેશમાં પણ મોટી સંખ્યામાં ભક્તો હતા.

જેમ જેમ ભક્તોની સંખ્યામાં વધારો થયો તેમ તેમ આશ્રમની આવકમાં પણ અનેક ઘણો વધારો થયો.

દેશ-વિદેશમાં આસારામના ૪૦૦ થી વધુ આશ્રમો ખુલ્યા હતા. અત્યાર સુધી આશારામ એક ટ્રસ્ટ બની ગયા હતા

જેની કમાણી અબજોમાં હતી ૨૦૧૬ માં આસારામના ટ્રસ્ટની કમાણી ૧૦,૦૦૦ કરોડથી વધુ હોવાનો અંદાજ છે

આસારામના આશ્રમમાં ગુરુકુલના નામે શાળાઓ પણ ચલાવવામાં આવતી હતી જેમાં તેમના ભક્તો તેમના બાળકોને અભ્યાસ માટે મોકલતા હતા

ત્યાં બાળકોના રહેવા જમવાની વ્યવસ્થા હતી

આસારામની શાળાઓમાં સેકડો બાળકો ભણવા લાગ્યા ૨૦૦૮ સુધી બધું બરાબર ચાલ્યુ..

આસારામ સફેદ ઝભ્ભા ની આડમાં પોતાના ભક્તોને છેતરતા હતા

પરંતુ ૨૦૦૮માં આસારામના આશ્રમ સાથે જોડાયેલા એવા સમાચાર સામે આવ્યા

જેણે સમગ્ર દેશને હચમચાવી દીધો તે સમાચારથી આસારામના અનુયાયીઓ સૌથી વધુ નારાજ થયા હત

૨૦૦૮માં આશારામ ના આશ્રમમાં ભણતા બે બાળકોના મૃતદેહ સાબરમતી નદી માંથી મળી આવ્યા હતા

ગુજરાતના બે દસ વર્ષના પિતરાઈ ભાઈ અભિષેક વાઘેલા અને દીપેશ વાઘેલા ને થોડા દિવસો પહેલા આસારામના આશ્રમમાં બનેલી શાળામાં દાખલ કરવામાં આવ્યા હતા

પરંતુ નદીમાંથી તેમના મૃતદેહો અડધા બળેલી હાલતમાં મળી આવ્યા હતા.

આ કેસની સીધી આગ આસારામ સુધી ન પહોંચી

પરંતુ આસારામ ટ્રસ્ટના કેટલાક લોકો સામે કેસ નોંધવામાં આવ્યો થોડા વર્ષો સુધી બધું આમ જ ચાલ્યું પરંતુ વર્ષ ૨૦૧૩ એ આસારામ પર તાબાહી મચાવી દીધી

ઉત્તર પ્રદેશની એક છોકરીના માતા પિતાએ આસારામ પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો

તે છોકરી આસારામના છિંદવાડા આશ્રમમાં ભણવા ગઈ હતી જ્યારે યુવતી ની તપાસ કરવામાં આવી તો બળાત્કારની વાત સાચી સાબિત થઈ

આસારામ બાપુ નો મેડિકલ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. આસારામ બાપુ સામે પહેલીવાર બળાત્કારનો કેસ નોંધાયો હતો.

તેઓને આશ્રમથી પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા હતા. આસારામ પર બળાત્કારના આરોપના સમાચાર દેશભર મા હેડલાઇન્સ બન્યા હતા

સફેદ કપડા પાછળ બાબાનું શ્યામ સ્વરૂપ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. જોધપુરની કોર્ટમાં આ મામલે સુનાવણી થઈ હતી

આસારામ વતી તમામ મોટા વકીલો કોર્ટમાં ઊભા હતા

પરંતુ પુરાવા આસારામ વિરુદ્ધ હતા

કેસ દાખલ કરનારી યુવતી સગીર હતી આ દરમિયાન ઘણા સાક્ષીઓ પર હુમલા પણ થયા ઘણા સાક્ષીઓની હત્યા કરવામાં આવી.

આ કેસ જોધપુરની વિશેષ અદાલતમાં ઘણા વર્ષો સુધી ચાલ્યો ટેલિવિઝન ,અખબારો, સામયિકો ,આસારામનો કેસ દરેક જગ્યાએ હેડલાઇન્સ બની રહ્યો હતો.

લોકો આ મામલે અલગ રીતે વિચારવા લાગ્યા

અલબત્ત ત્યારે પણ આસારામના અનુયાયીઓ તેમના બાબા સાથે જ રહ્યા

પરંતુ તેમના ભક્તોની યાદીમાં સામેલ મોટા નામો તેમને કરડવા લાગ્યા ૨૦૧૬ માં પણ સુરતમાં રહેતી બે બહેનોએ આસારામ અને તેના પુત્ર નારાયણ સાઈ ઉપર જાતીય સતામણી નો આરોપ લગાવ્યો હતો

આ કેસ હજુ સુરતની કોર્ટમાં ચાલી રહ્યો છે

આસારામના એક પછી એક કાળા પત્ર બહાર આવી રહ્યા હતા

એવા અહેવાલો હતા કે આસારામના આશ્રમમાં તાંત્રિક પ્રવૃત્તિઓ થાય છે

જેના માટે ૨૦૦૮માં બે બાળકોને હત્યા કરવામાં આવી હતી

જો કે આ મામલે કઈ સ્પષ્ટ થયું ન હતું આ સિવાય આસારામ પર આશ્રમ ના નામે ઘણી જમીનો બળજબરીથી હડપ કરવાનો પણ આરોપ છે

એવું લાગતું હતું કે જાણે તેણે વર્ષોથી સફેદ કપડા પાછળ આટલા બધા કાળા કામો છુપાવ્યા હતા. જોધપુર રેપ કેસમાં આસારામ આખરે ૨૦૧૮માં દોષિત સાબિત થયા હતા.

જોધપુરની વિશેષ અદાલતે આસારામને દોષિત ઠેરવી આજીવન કેદની સજા સંભળાવી હતી.

આશારામ બાપુ ૨૦૧૮ થી અત્યાર સુધી જોધપુરમાં જેલમાં બંધ છે જોકે આસારામના અનુયાયીઓ હજુ પણ તેમને સંત માને છે

આસારામના આશ્રમો આજે પણ દેશ વિદેશમાં ચાલી રહ્યા છે

પરંતુ કાયદાની નજરમાં આસારામ હવે સંત નહીં પરંતુ બળાત્કારી છે

તેવુ કાનૂની ચોપડે લખાયુ હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહેલ છે.

.સત્ય હકીકત શુ હશે તે તો આ આશારામ, પરમ પિતા પરમેશ્વર અને ન્યાય મંદિર ના ભગવાન ને ખબર..🙏

 

🌹પિન્કલ બારીઆ, અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp