સંતરામપુર:તારીખ ૪.૧૧. થી ૭.૧૧.૨૨ સુધી ૧૦૮ કુંડી મહાયજ્ઞ નું તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો નું સુંદર આયોજન કરાયેલ હતું.
સંતરામપુર તાલુકા ગાયત્રી પરિવાર દ્વારા સંતરામપુર નગરમાં તારીખ ૪.૧૧. થી ૭.૧૧.૨૨ સુધી ૧૦૮ કુંડી મહાયજ્ઞ નું તથા અન્ય ધાર્મિક કાર્યક્રમો નું સુંદર આયોજન કરાયેલ હતું.
આ કાર્યક્રમ ની પૂર્ણાહુતિ પ્રસંગે કિસાન સંમેલન નું સુંદર આયોજન રાજયપાલ આચાર્ય દેવવ્તજીની ઉપસ્થિતિ માં કરાયેલ હતું
આ પ્રસંગે રાજ્યપાલે ઉપસ્થિત ગાયત્રી પરિવારજનોને કિસાનભાઈઓને જણાવેલ કે પ્રાકૃતિક ખેતી અપનાવવા અંગેની સલાહ આપી ને તેના ફાયદા ની વિસ્તૃત જાણકારી આપેલ.
તથા ગૌવ આધારીત પ્રાકૃતિક ખેતી નું જરુરી માર્ગદર્શન આપી સમજ આપેલ. આ ધાર્મિક કાર્યક્રમ ની પૂર્ણાહુતિ પ્રસંગે ગાયત્રી પરિવાર દવારા ૨૪૦૦ દીપ પ્રગટાવી ને મહાદિપયજ્ઞ નું સુંદર આયોજન કરાયેલ હતું.