યાત્રાધામમાં ડાકોર ગોમતીમાં સૂર્યાસ્ત બાદ બોટીંગના પગલે તંત્રએ નોટિસ પાઠવી.
![પ્રતીકાત્મક તસવીર:યાત્રાધામમાં ડાકોર ગોમતીમાં સૂર્યાસ્ત બાદ બોટીંગના પગલે તંત્રએ નોટિસ પાઠવી](http://cpnews24.in/wp-content/uploads/2022/11/4-1.jpg)
ખેડા જિલ્લાના સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ગોમતી તળાવમાં નૌકાઓ સૂર્યાસ્ત બાદ પણ અંધારામાં ફરતી જોવા મળી હતી.
જેના અહેવાલ સમાચાર પત્રમાં પ્રસિદ્ધ થતા ડાકોર નગરપાલિકા એક્શન મોડ માં જોવા મળી હતી.
ગોમતી નવકા વિહાર ના નામે સરકાર માન્ય નું બોર્ડ લગાવી બોટિંગ ચલાવતા સંચાલક પંકજભાઈ વિનુભાઈ પટેલને નોટીસ આપવામાં આવી છે.
જેમાં કરાયેલ કરાર નામનો ભંગ કરવા બદલ ડાકોર નગરપાલિકા દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરવા બદલ ત્રણ દિવસમાં સંચાલક પંકજભાઈ વિનુભાઈ પટેલને સમગ્ર ઘટના સંદર્ભે ખુલાસો આપવા માટે.
નોટિસમાં જણાવવામાં આવ્યું કે ડાકોર નગરપાલિકા દિન ત્રણમાં ખુલાસો માંગીને શું કાર્યવાહી કરશે.
તેની ચર્ચા સમગ્ર ડાકોર નગરમાં ચર્ચા રહી છે ડાકોરમાં લોક મૂકે એવી પણ ચર્ચા હોય એ જોર પકડ્યું છે.
કે એ વીડિયોના આધારે શિક્ષાત્મક તેમજ દંડાત્મક કાર્યવાહી કરી.
હાલ મોરબીમાં બનેલી ઘટના સમગ્ર ગુજરાતમાં તથા દેશમાં ફરી ના દોહરાય તેના ભાગરૂપે દાખલારૂપ કાર્યવાહી કરી સંચાલકની શિક્ષાત્મક સજા કરવામાં આવશે.
શું તેના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવશે કે પછી ખુલાસા ના આધારે ભીનું સંકેલીને દાખલા રૂપ કાયદેસર કાર્યવાહી ના કરી ભિનુ સંકેલી લેવામાં આવશે.
તેવું ડાકોરના નગરજનોમાં હાલ ચર્ચા રહ્યું છે.
કયા રાજકીય નેજા હેઠળ આવા ગંભીર ગુનાઓનું સમાધાન થઈ જાય છે.
કે કાર્યવાહી થાય છે તેવું સળગતો સવાલ ડાકોરના જાગૃત નાગરિકોના મનમાં ઉદ્રવી રહ્યો છે.
ડાકોર નગરપાલિકા અવારનવાર એની બિન જવાબદાર નીતિને લઈને સમાચાર પત્રોમાં અને એક વખત સમાચારો પ્રસિદ્ધ થતા હોય છે.
ડાકોર નગરના નાગરિકો દ્વારા ફરી આવી ઘટના ના બને .તેને લઈને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરી યાત્રાળુઓ તથા મુસાફરોના જીવન સાથે ચેડા કરવા બદલ ગુનો નોંધાવી કાર્યવાહી કરાશે તે હવે જોવું રહ્યું.