મા – અંબા ના ગરબા માં આપણે આ સુધારા ની શરૂઆત કરવી જોઈએ..

પ્રતીકાત્મક તસવીર:મા - અંબા ના ગરબા માં આપણે આ સુધારા ની શરૂઆત કરવી જોઈએ..

મા – અંબા ના ગરબા માં આપણે આ સુધારા ની શરૂઆત કરવી જોઈએ..

 

પ્રતીકાત્મક તસવીર:મા - અંબા ના ગરબા માં આપણે આ સુધારા ની શરૂઆત કરવી જોઈએ..
પ્રતીકાત્મક તસવીર:મા – અંબા ના ગરબા માં આપણે આ સુધારા ની શરૂઆત કરવી જોઈએ..

 

સ્મશાનયાત્રામાં જેમ લગ્નના ગીતો ન ગવાય

લગ્નમાં જેમ સ્મશાનના મરશિયા ન ગવાય

બરાબર એ જ રીતે

મા – અંબા ના ગરબા માં

ફિલ્મી ગીતો, પોપ મ્યુઝિક, વિકારી ગીતો ન ગવાય

નવરાત્રિ એ મા નો તહેવાર છે.

નવરાત્રિ એ ભક્તિ નું પર્વ છે.

નવરાત્રિ એ સત્ નો અવસર છે.

જો આપણે ૩૫૧ દિવસ ફિલ્મી નાચગાન વગેરે કરતા હોઈએ તો ય આ પવિત્ર નવ દિવસોએ તો આપણે સીધા થઈ જ જવું જોઈએ

ને આ આપણે શું માંડ્યું છે ?

આ પરમ પવિત્ર તહેવારમાં જ આપણે

કોઈની માં-બહેન-દીકરી પર નજર બગાડવા લાગ્યા ? ? ?

માતાજીની સામે જ વિકાર-વાસનાના તોફાનો કરવા લાગ્યા ? ? ?

‘ મા ‘ સાથે જેનો કોઈ જ મેળ નથી એવા ગીતો વગાડવા લાગ્યા ? ? ?

‘ મા ‘ ના ઉપવાસોની ધજજીયા ઉડાવી દે એવા ફૂડ ફેર કરવા લાગ્યા ? ? ?

કોઈ ચિંતાશીલ બાપની કુમળી દીકરી ને ચારિત્રથી ભ્રષ્ટ કરવા લાગ્યા ? ? ?

આપણે કદી ન કહેવું જોઈએ કે
આપણે નવરાત્રિ રમીએ છીએ

એક્ચ્યુઅલી

આપણે નવરાત્રિ સાથે ગંદી ગેમ રમીએ છીએ

માતાજી નું આથી વધુ અપમાન
બીજુ કઈ હોઈ શકે ?
તો થાવ તૈયાર
આપણે સુધારા ની શરૂઆત કરીએ.

 

🌹પરંજયપ્રસાદ શુક્લ , નિકોલ-અમદાવાદ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp