કલોલ બારોટ વાસ પાસે આવેલા માતરી માતાજી મંદિરના ચોકમાં ખેલૈયાઓ મન મૂકીને જુમી ઉઠ્યા
લોલ બારોટ વાસ પાસે આવેલા માતરી માતા મંદિરના ચોકમાં આજે માં જગદંબાનું બીજા નોરતાના દિવસે ખેલૈયાઓ ગરબે રમવા આવી ગયા હતા.
જેમાં કલોલ ખાતેના દરેક ગરબી ચોકમાં સૌથી વધારે ખેલૈયાઓ બારોટ વાસના માતરી માતા મંદિરના ચોકમાં જોવા મળ્યા હતા.
કોરોના જેવી કપરી પરિસ્થિતિમાં બે વર્ષથી ખેલૈયાઓને ગરબે રમવા મળ્યું ન હતું.
સરકાર દ્વારા જાહેરહિત માટેના પ્રતિબંધોના કારણે બે વર્ષથી નવરાત્રિનું કોઈ આયોજન કરવામાં આવ્યું ન હતું.
જેના બદલામાં બે વર્ષ બાદ આજે માં જગદંબાના બીજા નોરતાનું કલોલ ખાતેના બારોટ વાસમાં માતરી માતા ચોકમાં ખેલૈયાઓ ગરબે રમવા ઉમટી પડ્યા હતા.