અમદાવાદમાં રિવરફ્રન્ટ પરના અટલ બ્રિજ પર મુલાકાતીઓ માટે ઓનલાઇન બુકીંગની સુવિધા ઉભી કરાશે..
અમદાવાદમાં રિવરફ્રન્ટ પર બનાવવામાં આવેલા અટલ ફૂટ ઓવરબ્રિજ પર મુલાકાતીઓનો ભીડ વધતી જાય છે.
પરંતુ હવે મુલાકાતીઓ માટે સુવિધા સરળ કરવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવી રહ્યો છે.
AMC દ્વારા ફૂટ ઓવરબ્રિજની મુલાકાત લેનારા મુલાકાતીઓ માટે ઓનલાઈન ટીકિટ બુકિંગની વ્યવસ્થા શરૂ કરવાની વિચારણા શરૂ કરાઈ છે.
આ માટેનું સોફ્ટવેર પણ તૈયાર કરાયુ હોવાની માહિતી મળી છે.
જો ઓનલાઈન બુકિંગની સુવિધા શરૂ થઈ જાય તો મુલાકાતીઓને ટિકિટ માટે લાંબી લાઈનમાં ઉભા રહેવાથી મુક્તિ મળશે.
વડાપ્રધાન મોદીએ લોકાર્પણ કર્યા બાદ અત્યાર સુધી 4.25 લાખથી વધુ મુલાકાતીઓ અટલ બ્રીજની મુલાકાત લઈ ચુક્યા છે
અને તંત્રને એક કરોડથી વધુની આવક પણ થઈ છે.
31 ઓગસ્ટથી ટિકિટના દર લાગુ કરી દેવાયા
સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા અટલ ફૂટ ઓવર બ્રિજના ટિકિટના દર નક્કી કરવામાં આવ્યા છે.
12 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 30 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 15 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે
જ્યારે વિકલાંગો માટે એન્ટ્રી ફ્રી રાખવામાં આવી છે. 31 ઓગસ્ટથી ટિકિટના દર લાગુ કરી દેવાયા છે.
મુલાકાતીઓ ફૂટ ઓવરબ્રિજ ઉપર માત્ર 30 મિનિટ જ ફરી શકશે .અટલ ફૂટ ઓવરબ્રિજ અને ફ્લાવર પાર્ક જોવો હશે
તો બાર વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 40 અને બાળકો તેમજ 60 વર્ષથી ઉપરના લોકો માટે રૂ. 20 ચાર્જ નક્કી કરવામાં આવ્યો છે.
ફૂટ ઓવર બ્રિજમાં સવારે 9:00 થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રવેશ મેળવી શકાશે.
3 વર્ષમાં બ્રિજનો ખર્ચ નીકળી જવા અંદાજ
અટલ ફૂટબ્રિજ રૂ. 74 કરોડના ખર્ચે બન્યો છે. છે.
હાલના ટ્રેન્ડને જોતાં રોજના અંદાજે 20થી 25 હજાર લોકો તો આવશે જ. એ મુજબ ગણતરી કરીએ તો, દૈનિક અંદાજે રૂ. 6 લાખની આવક થઇ શકે.
આ પ્રમાણે મહિને રૂ. બે કરોડ આસપાસ થઇ શકે છે અને 3 વર્ષમાં બ્રિજનો ખર્ચ નીકળી જશે.
ફૂટ ઓવર બ્રિજ માટેની સૂચના
- અટલ બ્રિજમાં મુલાકાતીઓનો પ્રવેશ સવારે 09.00 ક્લાકથી રાત્રીના 09.00 ક્લાક સુધી રહેશે
- બ્રિજ પર કોઈપણ મુલાકાતી 30 મિનિટ થી વધુ રોકાઈ શકશે નહી
- મુલાકાતીઓને પશ્ચિમ અને પૂર્વ છેડાના અપર પ્રોમીનાડથી જ પ્રવેશ આપવામાં આવશે
- કોઈપણ પ્રકારના ગુટખા, પાન-મસાલા, કેફી દ્રવ્યો બ્રિજ પર લઈ જવાની સખ્ત મનાઈ છે
- કોઈપણ પ્રકારના ઘરેથી લાવેલ ખોરાકને બ્રિજ પર લઈ જવાની મંજૂરી નથી
- પાલતુ પ્રાણીઓ સાથે બ્રિજ પર પ્રવેશ કરવાની સખ્ત મનાઈ છે.
- મુલાકાતીઓએ કચરો ડસ્ટબીનમાં જ નાખીને બ્રિજની સ્વચ્છતા જળવાઈ રહે તે માટે સહભાગી બનવું
- કોઈપણ પ્રકારના રમત-ગમતના સાધનો બ્રિજમાં લઈ જવાની સખ્ત મનાઈ છે
- કોઈપણ પ્રકારના ફેરીયાઓએ બ્રિજમાં વેચાણ અર્થે પ્રવેશ કરવો નહીં
- બ્રિજ પરના ફૂલ-છોડ સહિતની અન્ય કોઈપણ પ્રકારની મિલકત અસ્ક્યામતને તોડવી નહિ
- શોર-બકોર, મ્યુઝિક વગાડવું, ડાન્સ કરવો, રમતો રમવી વિગેરે જેવી પ્રવૃતીઓ કરવાની સખ્ત મનાઈ