ગરબા જોવા આવેલા 25 વિધર્મીને બજરંગ દળે કાઢી મૂક્યા
નવરાત્રિ દરમિયાન વિધર્મી યુવકો યુવતીઓના સંપર્કમા ન આવે તે માટે બજરંગદળ દ્વારા ગરબા સ્થળે જઇને તપાસ કરવામાં આવતી હોય છે.
ગત રોજ થનગનાટ ગરબા ગ્રાઉન્ડમાં વિધર્મીઓને પકડી ખદેડી મુકવામાં આવ્યા હતા.
25 જેટલા યુવકોને પકડવામાં આવ્યા હતા અને ગ્રાઉન્ડ બહાર તગેડી મુકવામાં આવ્યા હતા.
બજરંગદળ મેદાનમાં આવ્યું
તાજેતરમાં જ શહેર પાસેના એક ગામની યુવતીને વિધર્મી પતિએ તગેડી મુકી હતી.
લવ જેહાદના કિસ્સાઓને રોકવા માટે બજરંગદળ મેદાનમાં આવ્યું છે.
શહેરના ખાનગી પાર્ટી પ્લોટમા પ્રવેશ કરતા વિધર્મી યુવકોને રોકવામાં આવી રહ્યા છે.
બે દિવસ પહેલા સેક્ટર 11 સ્થિત ગરબા ગ્રાઉન્ડમાં બજરંગદળના સભ્યો પહોંચ્યા હતા.
ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા
જ્યા ગરબા રમવા અને જોવા માટે આવતા લોકોને તિલક કરવામાં આવ્યુ હતુ.
જ્યારે ગત રાત્રે સેક્ટર 6 સ્થિત ગરબા ગ્રાઉન્ડમાં બજરંગદળના સભ્યો પહોંચ્યાં હતા.
જ્યા તમામ ખેલૈયાઓ અને ગરબા પ્રેમીઓને તિલક કરવામાં આવતુ હતુ.
તે સમયે ગરબા જોવા આવતા વિધર્મી યુવકો દ્વારા તિલક કરવાની ના પાડતા તેમની પાસે આઇકાર્ડ માગવામાં આવતા સામે આવ્યુ હતુ.
જેને લઇને યુવકોને બહાર કાઢવામાં આવતા ઝપાઝપીના દ્રશ્યો જોવા મળ્યા હતા.