ચૂંટણીની જાહેરાત થતા ની સાથે જ સરકારી કર્મી ચૂંટણી પંચ નો કર્મચારી બની જાય છે
અમદાવાદ વિધાનસભાની ચૂંટણીની જાહેરાતની સાથે આચારસંહિતાનો અમલ શરૂ થાય છે
સત્તાધારી પક્ષો માટે ચૂંટણી દરમિયાન આચારસંહિતાનો સમય ખાસ હોય છે
કારણ કે આ સમય દરમિયાન સરકાર અને રાજકીય પક્ષો પર ચૂંટણીલક્ષી પ્રચાર કાર્યવાહી કરવા પર ચોક્કસ પ્રકારના નિયંત્રણો લાગુ પડી જાય છે
સરકાર ચૂંટણી પંચની પૂર્વ મંજૂરી વિનાલોકરંજક નિર્ણયો નીતિઓ જાહેર કરી શકતી નથી
તો સામે સત્તાધારી સિવાયના રાજકીય પક્ષો પર પણ નિયંત્રણો લાગે છે
રાજ્યમાં ચૂંટણીની જાહેરાતની સાથે જ ચૂંટણી પૂર્ણ ન થાય
ત્યાં સુધી સરકારી કર્મચારીઓ ચૂંટણી પંચના કર્મચારીઓ તરીકે ફરજ બજાવવાની હોય છે
ચૂંટણીની આચારસંહિતાના અમલ દરમિયાન કેટલીક રસપ્રદ હકીકતો ્…
ચૂંટણીની આચાર સંહિતા એ ચૂંટણી પંચનો નિયમ છે
જેનું પાલન દરેક પક્ષે અને ખાસ કરીને ઉમેદવારે કરવાનું રહે છે
આચારસંહિતાનું ઉલ્લંઘન કરનાર વ્યક્તિને સજા થઈ શકે છે ચૂંટણી પર રોક લાગી શકે છે
એફ આઈ આર પણ થઈ શકે છે અને ઉમેદવારને જેલ પણ થઈ શકે છે
ચૂંટણી દરમિયાન કોઈપણ મંત્રી સરકારી પ્રવાસ કરી શકે નહીં સરકારી સંશોધનોનો ઉપયોગ ચૂંટણી માટે થઈ શકે નહીં
ત્યાં સુધી કે કોઈપણ સત્તાધારી નેતા સરકારી વાહનો અને ઇમારતોનો ઉપયોગ ચૂંટણી માટે કરી શકે નહીં
કેન્દ્ર સરકાર હોય કે પછી પ્રદેશની સરકાર સરકાર દ્વારા કોઈ જાહેરાત થઈ શકે નહીં ન તો નવા કામનું લોકાર્પણ થઈ શકે ન તો સરકારી ખર્ચ પણ થઈ શકે ચૂંટણી પંચે આ પ્રક્રિયા પર ખાસ નજર રાખવાની રહે છે
ઉમેદવાર અને પક્ષને રેલી કાઢવા માટે અથવા બેઠક કરવા માટે ચૂંટણી પંચ પાસેથી પરવાનગી મેળવવાની હોય છે
અને જાણકારી નજીકના પોલીસ મથકમાં પણ આપવાની હોય છે સભાના સ્થળ અને સમયની સૂચના પણ પોલીસને આપવાની હોય છે
કોઈપણ પક્ષ કે ઉમેદવાર એવું કામ નહીં કરે શકે જે જ્ઞાતિ અને ધર્મ અથવા તો સંપ્રદાયની વચ્ચે મત ભેદ કે ધ્રુણા પ્રસરાવવાનું કામ કરે
કોઈની પરવાનગી વગર તેની દીવાલ કે જમીન નો ઉપયોગ થઈ શકે નહીં મતદાન કેન્દ્રના 100 મીટરના વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર થઈ શકે નહીં
ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઇપણ સરકારી ભરતી થઈ શકે નહીં
ચૂંટણી દરમિયાન મતદાન કેન્દ્રની આસપાસ ચૂંટણીનું ચિન્હનુ પ્રદર્શન થઈ શકે નહીં
ચૂંટણી પંચના માન્ય આધારકાર્ડ ધરાવનાર વ્યક્તિ ઉપર જઈ શકે છે
સોશિયલ મીડિયા પાછળ થતા ખર્ચનો હિસાબ કેવી રીતે કરવાનો
ચૂંટણી પંચ આદર્શ આચારસંહિતા અમલનો કરાવતી હોય છે
રાજકીય પક્ષોના પ્રચાર ઉપર નિરીક્ષણો મુકાય છે
ચૂંટણી લક્ષી કોઈપણ કાર્યક્રમ કે જાહેરાત માટે રાજકીય પક્ષોએ પહેલા પંચની મંજૂરી લેવી પડે છે
પરંતુ ઇન્ટરનેટ કેમ્પિંગમાં ચૂંટણી પંચના નીતિ નિયમો હોવા છતાં તેનો અમલ નહીં કરી શકવાને લીધે ભાજપ કોંગ્રેસનો સોશિયલ મીડિયા પરનો પ્રચાર સરળતાથી લોકો સુધી પહોંચે છે
મતદારોને વિવિધ પ્રકારની અને વર્ષો જૂની માહિતી પણ મળતી હોય છે
તેની સામે સોશિયલ મીડિયા પાછળ થતા લાખોના ખર્ચનું શું તે અંગે નિયમો અટપટા હોવાથી ચૂંટણી તંત્ર યોગ્ય કાર્યવાહી કરી શકતું નથી
ચૂંટણી આચાર સહિતા ના કેસોમાં સજા થતી નથી
ચૂંટણીમાં બોગસ મતદાન જાહેરનામાના ભંગ સહિતના મુદ્દે કેસો કરવામાં આવતા હોય છે
પણ આજદીન સુધી એક પણ કેસમાં કોઈને સજા કે દંડ કરવામાં આવ્યો નથી ચૂંટણી વખતે મોટી જાહેરાતો કરીને કે શું કરવામાં આવતા હોય છે
પછી જેની સામે કેસ થયો હોય તે કોર્ટમાં હાજર નહીં રહેતા અથવા તો તેને સામાન્ય કે વોરંટની બજવણી થતી હોતી
નથી જેના લીધે લોક અદાલત વખતે કેસો પરત ખેંચી લેવામાં આવતા હોય છે