કેનેડાના નકલી વિઝા સ્ટિકર કૌભાંડમાં 12થી વધુ લોકો સાથે છેતરપિંડી કરાઈ
![પ્રતીકાત્મક તસવીર:કેનેડાના નકલી વિઝા સ્ટિકર કૌભાંડમાં 12થી વધુ લોકો સાથે છેતરપિંડી કરાઈ](http://cpnews24.in/wp-content/uploads/2022/10/2-13.webp)
કેનેડાના નકલી વીઝા સ્ટિકર કૌભાંડમાં પકડાયેલા ચાર આરોપીઓએ રાજ્યભરમાં 12 કરતા વધુ લોકો સાથે છેતરપિંડી કરી લાખો રૂપિયા પડાવ્યા હતા.
જો કે, આ કૌભાંડમાં અન્ય આરોપીઓની સંડોવણી હોવાની માહિતીના આધારે પોલીસે તેમની શોધખોળ શરૂ કરી હતી.
એટીએસે નરોડા વિઠ્ઠલ પ્લાઝામાં આવેલી એર વે હોલિડે નામની ઓફિસમાં દરોડો પાડી નીલેશ પંડ્યા,
જય ત્રિવેદી, મયૂર પંચાલ, અને પીયૂષ પટેલની ધરપકડ કરી હતી.
તપાસમાં એવું ખુલ્યું હતું કે, આરોપીઓ કેનેડાના વિઝા રદ થયા હોવા છતાં કેનેડા કોન્સ્યુલેટના વિઝાના સ્ટિકર લગાવી પૈસા પડાવતા હતા.
બીજીબાજુ કેનેડા કોન્સ્યુલેટના વિઝા જેવા જ અદલ દેખાતા સ્ટીકર બનાવી આપનારા વ્યક્તિની પણ પોલીસે શોધખોળ આદરી છે.
આરોપીઓ પૈકી નીલેશ પંડયા અગાઉ ગુજરાત અને રાજસ્થાનમાં આ જ પ્રકારના નકલી વિઝાના કૌભાંડમાં પકડાઈ ચૂક્યો છે.
જ્યારે પીયૂષ પટેલ પણ રાજસ્થાનમાં પકડાયો હતો.