ગાંધીનગરની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ત્રીજી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમૂર્હુત કરાશે

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ત્રીજી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમૂર્હુત કરાશે

ગાંધીનગરની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ત્રીજી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમૂર્હુત કરાશે

પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ત્રીજી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમૂર્હુત કરાશે
પ્રતીકાત્મક તસવીર:ગાંધીનગરની સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ત્રીજી ઓક્ટોબરે રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમૂર્હુત કરાશે

 

ગાંધીનગરમાં રૂ. 372.60 કરોડના ખર્ચે નિર્માણ પામનાર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ત્રીજી ઓક્ટોબરના રોજ ખાતમૂર્હુત કરવામાં આવશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ પણ ખાસ ઉપસ્થિત રહેશે.

રાષ્ટ્રપતિ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરશે

રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રથમ વખત બે દિવસના ગુજરાતના પ્રવાસે દ્રોપદી મૂર્મુ આવી રહ્યા છે.

દેશના પ્રથમ મહિલા આદિવાસી રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મુ અગાઉ પદનામિત રાષ્ટ્રપતિ તરીકે 17 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે આવ્યા હતા

અને ત્યારબાદ 21 જુલાઈના રોજ તેઓ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા હતા.

રાષ્ટ્રપતિ મૂર્મુ ફરી એક વખત ગુજરાતના મહેમાન બનવા જઇ રહ્યા છે.

અગાઉ તેઓ ગુજરાતના જે સ્થળોએ નહોતા જઇ શકયા આ વખતે તેઓએ સ્થળોની મુલાકાત લે તેની સંભાવના છે.

જેમાં પ્રથમ સ્થાને ગાંધીઆશ્રમની મુલાકાતનો સમાવેશ થાય છે. જ્યારે તેઓ રાત્રિ રોકાણ રાજભવન ખાતે કરવાના છે.

ત્યારે ગાંધીનગર સિવિલ સંકુલમાં નિર્માણ થનાર સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલનું ત્રીજી ઓક્ટોબર એટલે કે, આઠમે નોરતે રાષ્ટ્રપતિના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવશે.

જેના માટે આખું વહીવટી તંત્ર તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે.

ક્રિટીકલ કેર સાથેની 10 માળની અદ્યતન હોસ્પિટલ બનશે

રાષ્ટ્રપતિના આગમન ટાણે સિવિલ સંકુલમાં પણ તડામાર તૈયારી શરૂ કરી દેવામાં આવી છે.

બે વર્ષથી બજેટમાં ગ્રાન્ટ ફાળવ્યાં બાદ આખરે ગાંધીનગર સિવિલ સંકુલમાં સુ૫ર સ્પેશિયાલીટી હોસ્પિટલ ઉભી કરવા માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે.

સિવિલ હોસ્પિટલ સંકુલમાં ઘ-3 તરફના ખુણા ઉપર દસ માળની સુપર સ્પેશિયાલીસ્ટ હોસ્પિટલ ઉભી કરવામાં આવનાર છે.

ડબલ બેઝમેન્ટ સાથે દસ માળની આ હોસ્પિટલમાં હૃદય તથા કિડનીને લગતી તમામ સેવા અને સારવાર મળી રહશે.

આ ઉપરાંત પાંચ માળનું ક્રિટીકલ કેર સેન્ટર એટલે કે, ટ્રોમા સેન્ટર પણ બનાવનાર છે.

દર્દીના સગાને રહેવા માટેની સુવિધા સાથે રેનબસેરા પણ બનશે


​​​​​​​
જેમાં તાત્કાલિક સારવારને લગતી તમામ સુવિધા ઉભી કરવામાં અને સર્જરી અને ઓર્થોપેડિકના ઓપરેશન થિયેટર પણ બનાવવામાં આવશે.

તો દર્દીના સગાને રહેવા માટેની સુવિધા સાથે રેનબસેરા પણ ઉભું કરવામાં આવનાર છે.

જેનું ભારતના મહામહીમ રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવનાર છે.

આ પ્રસંગે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, કેન્દ્રીય ગૃહમંત્રી તથા મુખ્યમંત્રી પણ ઉપસ્થિત રહેશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp