નડિયાદ એસટી વિભાગીય કચેરી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો
નડિયાદ વિભાગીય એસટી કચેરી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
વેકરીયાજીની માસિક પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાંજલિ ના ભાગરૂપે સમગ્ર રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો હતો.
નડિયાદ વિભાગના તમામ ડેપો તેમજ ડ્રાઇવર,કંડકટર અને એડીએમ સ્ટાફ તેમજ વિભાગના પ્રતિનિધિ હોદ્દેદારો એકમ મંત્રી અને કર્મચારીઓ દ્વારા રક્તદાન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ભારતીય મજદૂર મહાસંગ અમદાવાદ ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ રાઠોડ ,
વંદીપસિંહ મહીડા,
ભરતસિંહ ઝાલા,
વિજયસિંહ સોઢા,
રહેમાન મલેક ઉપસ્થિત રહ્યા હતા.
વિભાગીય એસ.ટી ના કર્મચારીઓ દ્વારા ૫૩ બોટલ જેટલું રક્ત યુનિટ એકત્ર કરી રક્તદાન કરાવ્યું હતું.