ખંડેરમાં ફેરવાયા આંકલાવમાં 336 આવાસોનું કામ પાંચ વર્ષે અધૂરું મકાનો ખંડેરમાં ફેરવાયા
![પ્રતીકાત્મક તસવીર:ખંડેરમાં ફેરવાયા આંકલાવમાં 336 આવાસોનું કામ પાંચ વર્ષે અધૂરું મકાનો ખંડેરમાં ફેરવાયા](http://cpnews24.in/wp-content/uploads/2022/11/6-5.jpg)
આંકલાવ પાલિકા દ્વારા આઈ એચ એસ ડી પી યોજના હેઠળ સંકલિત આવાસ અને ગંદા વિસ્તાર કાર્યક્રમ અનન્વયે આર્થિક રીતે નબળા વર્ગના લોકો માટે
આવાસ સુવિધા યોજના હેઠળ વર્ષ 2013 14માં આંકલાવની ઇન્દિરા કોલોની અને જે મૂડી વિસ્તારમાં આવાસ યોજના ની શરૂઆત કરવામાં આવી હતી.
જે અનન્વયે 336 આવાસ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું.
પરંતુ કોન્ટ્રાક્ટરને તંત્રએ નાણા ચુકવવાનું બંધ કરતાં કામ પડતું મૂકી દીધું હોવાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું હતું.
આવાસ યોજનામાં 416 લાભાર્થીઓ ફોર્મ ભર્યા હતા
પરંતુ આવાસમાં થયેલા ભ્રષ્ટાચાર મા લાભાર્થીઓ આઠ વર્ષથી રાહ જોઈ રહ્યા છે
જોકે હાલ જે મૂડી વિસ્તારમાં બનેલા આવાસમાં અન્ય જાતિના લોકો ગેરકાયદેસર રહે છે
અને અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયો છે ગરીબ પરિવારોએ 15 થી 20 હજાર રૂપિયા આવાસ નો લાભ લેવા માટે
પાલિકામાં રૂપિયા પણ ભર્યા હતા છતાં આજદિન સુધી લાભાર્થીઓને લાભ નથી મળ્યો
12.50 કરોડના ખર્ચે થયેલું કામ યોગ્ય ફિનિશિંગ લેવલ પર થયું ન હતું
અને જેમાં 168 મકાન ફિનિશિંગ લેવર પર આવતા 50% જેટલી રકમ કોન્ટ્રાક્ટરને ચૂકવી દેવામાં આવી હતી.
પરંતુ 168 માં કામ યોગ્ય ન થતા કામના રૂપિયાનું ચુકવણી બંધ કરી હતી
રૂપિયાની ચુકવણી પ્રમાણે કામ થયું ન હતું સુનિલ સોલંકી નામના યુવકે મારા પિતાજી આ ડ્રોમાં લાભ લેવા માટે બે થી ત્રણ વાર પાલિકામાં રૂપિયા ભર્યા હતા.
મારા પિતાજી તો નથી રહ્યા પરંતુ અમે હજુ પણ મકાનનો લાભ લેવા માટે રાહ જોઈ રહ્યા છીએ
અમારા વિસ્તારમાં આવા અનેક પરિવાર છે
જે હજુ પણ આવાસના મકાનોની રાહ જોઈ રહ્યા છે
સૂત્ર મુજબ વર્ષ 2017 માં કોન્ટ્રાક્ટર દ્વારા કન્ડિશન પ્રમાણે કામ કર્યું ન હતું
જેને લઇને પાલિકાએ રૂપિયા આપવાનું બંધ કરતાં કામ બંધ થઈ ગયું હતું જે હજુ પણ શરૂ થયું નથી