બે ટ્રકો ભરીને ખુરશીઓ પાછી મોકલી ત્રણ દિગ્ગજ નેતાઓની હાજરી પણ ભીડ એકઠી ન થઈ…!!
![પ્રતીકાત્મક તસવીર:બે ટ્રકો ભરીને ખુરશીઓ પાછી મોકલી ત્રણ દિગ્ગજ નેતાઓની હાજરી પણ ભીડ એકઠી ન થઈ...!!](http://cpnews24.in/wp-content/uploads/2022/11/10-2.jpg)
ગુજરાત વિધાનસભા ચૂંટણીઓને લઈ જનતાને આકર્ષવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસનું ગતરોજ બીજો દિવસ હતો
વાપીમાં બે દિવસ પહેલા રોડ શો યોજ્યો હતો જેમાં જનમેદની ઉમટી હતી
વેરાવળમાં પણ જનસભા ને સંબોધી હતી ત્યાં પણ જનમેદની નું સેલાબ જોવા મળ્યો હતો.
જો કે ધોરાજીમાં યોજાયેલી સભામાં મોદી મેજિક જોવા મળ્યો ન હતો.
અહીંની સભામાં ઘણી ખુરશીઓ ખાલી જોવા મળી હતી.
ધોરાજીમાં યોજાયેલી સભામાં એક લાખથી વધુ લોકોને લાવવાનો ટાર્ગેટ હતો પણ તેમાં સફળતા મળી ન હતી.
યુવાઓ અને રાજકોટની જનતામાં મોદી મેજિક ઘટ્યું હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા