વિશ્વાસે FD ડૂબી પોલ ખોલતા બેંકના પટાવાળા એ ઝેર પી લીધું

પ્રતીકાત્મક તસવીર:વિશ્વાસે FD ડૂબી પોલ ખોલતા બેંકના પટાવાળા એ ઝેર પી લીધું

વિશ્વાસે FD ડૂબી પોલ ખોલતા બેંકના પટાવાળા એ ઝેર પી લીધું

પ્રતીકાત્મક તસવીર:વિશ્વાસે FD ડૂબી પોલ ખોલતા બેંકના પટાવાળા એ ઝેર પી લીધું
પ્રતીકાત્મક તસવીર:વિશ્વાસે FD ડૂબી પોલ ખોલતા બેંકના પટાવાળા એ ઝેર પી લીધું

એનઆરઆઈ 50 લાખની એફડી ની ઇન્કવાયરી કરવા ગયા અને ગોટાળો બહાર આવ્યો

મલાતજની સેન્ટ્રલ બેન્કના હંગામી પટાવાળાએ વિશ્વાસ કેળવી ફિક્સ ડિપોઝિટ માટે ખાતેદારો પાસેથી લીધેલા ચેક બારોબાર વટાવી ખાધા

સોજીત્રા તાલુકાના મલાતજ ગામની સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં કામ કરતા રોજ મદાર પટાવાળાએ ગ્રામજનોએ બેંકમાં ભરવા માટે આપેલા રૂપિયા ખાતેદારોના ખાતામાં જમા ન કરાવી

બારોબાર અન્ય ખાતેદારોના ખાતામાં જમા કરાવી ઉચાપત આચરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશનને પહોંચ્યો હતો

સમગ્ર બનાવની હકીકત એવી છે કે મૂળ લંડનમાં રહેતા

અને છેલ્લા છ મહિના પહેલા વતન આવેલા સંજયભાઈ મહેન્દ્રભાઈ ત્રિવેદી રહેવાસી મલાતજ સોજીત્રા પોતાના બચાવેલા રૂપિયા 50 લાખની એફડી કરાવવાનું નક્કી કર્યું હતું

તેમનું સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડિયામાં ખાતું હતું જોકે બેંકમાં પૈસા જમા કરાવવા જવું ન પડે તે હેતુસર તેમણે બેંકમાં કામ કરતા

અને કોન્ટ્રાક્ટર પર કામ કરતા પટાવાળા ભરત સવા રબારી ને રૂપિયા 50 લાખના પાંચ ચેક સહી કરીને આપ્યા હતા

અને એફડી કરવા જણાવ્યું હતું. પરંતુ તે દરમિયાન પાંચ પૈકીના ત્રણ ચેક એટલે કે રૂપિયા 30 લાખ મહેશ સોલંકી ગિરીશ પી પટેલ અને સ્વપ્નિલ મહિડાના ખાતામાં બારોબાર જમા કરાવી દીધા હતા

એ પછી બે દિવસ અગાઉ વર્ષો ખાતે રહેતા તેના સાળાના ખાતામાં આ નાણાં આરટીજીએસ મારફતે ટ્રાન્સફર કરાવી દીધા હતા

જોકે બીજી તરફ એફડી કરાવવા માટે આપેલા નાણાંની કોઈ રીસીપ્ટ પટાવાળા તરફથી ન મળતા સંજયભાઈએ તપાસ કરી હતી

જેમાં સમગ્ર ઘટનાનો પડદા ફાસ્ટ થયો. દરમિયાન ધીમે ધીમે તેમણે તેમણે તપાસ કરતા શખે સંજયભાઈ ઉપરાંત સતિષભાઈ ગોરધનભાઈ પટેલ મુકેશભાઈ બકોરભાઈ પટેલ અશોકસિંહ લક્ષ્મણસિંહ મહિડા સહિત પાંચેક જેટલા ખાતેદારોના પૈસા પણ ચાઉ કરી દીધા હોવાનું ખુલ્યું હતું

સૂત્રોના જણાવ્યા અનુસાર આ રકમ હાલ દોઢથી બે કરોડ સુધી પહોંચી જાય એટલી છે

નોંધનીય છે કે સમગ્ર બાબતો પ્રકાશમાં આવતા જ જ્યોત જોતા માં બેંકમાં લોકોના ટોળા ઉમટી પડ્યા હતા

અને તમામ લોકો દ્વારા બેંકમાં પોતાની એફડી અંગે તપાસ કરવામાં આવી હતી

જો કે બીજી તરફ બેંક કર્મીઓ ભરત રબારી ને ઘરે જતા જ તેણે ઝેરી દવા પી લીધી હતી.

હાલમાં તેને નડિયાદ સ્થિત હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ કરવામાં આવ્યો છે

 

સરપંચ ડે સરપંચ ઘરે ગયા એ પછી રૂપિયા દસ લાખ આપ્યા

સમગ્ર ઘટના પ્રકાશમાં આવ્યા બાદ અને ભરત રબારી ની ખુલતા જ સરપંચ દુર્ગેશ પટેલ ડે સરપંચ સુનિલ પટેલ તેમના ઘરે ગયા હતા અને તેમને સમજાવ્યા હતા એ સમયે તેમણે તાત્કાલિક રૂપિયા દસ લાખ આપી દીધા હતા

પ્યુન બેંક મેનેજરને રોજ કાર લઇ આણંદ લેવા આવતો હતો

સમગ્ર ઘટનામાં જવાબદાર ભરત રબારી છેલ્લા કેટલાય સમયથી કોન્ટ્રાક્ટર પર કામ કરતો હતો અને ગ્રામજનોના કામ તે વિના સંકોચે કરી આપતો હતો. લોકોને લાઇનમાં ઊભા ન રહેવું પડે એટલે તે બારોબાર વહીવટ કરી દેતો હતો બેંક મેનેજરનો વિશ્વાસ કેળવવા તે દરરોજ તેમને કાર લઇ લેવા મુકવા આણંદ આવતો હતો

વિદ્યાનગરમાં લોકર માંથી ઘરેણાં પગ કરી ગયા હતા

વિદ્યાનગરમાં આવેલી એસબીઆઇ બેન્ક માં પાંચેક વર્ષ અગાઉ મૂળ કરમસદના એન આર આઈ દંપતી દ્વારા લોકરમાં ઘરેણા મુકવામાં આવ્યા હતા. આ બેંકમાં એનઆરઆઈ તેમના ઘરે ના ઉપાડવા ગયા ત્યારે તેમના લોકરમાં કોઈ ઘરેણા જ ન હોવાનું ખુલ્યું હતું જેને પગલે તેમણે બેંકમાં ભારે હોબાળો મચાવ્યો હતો. જોકે એ પછી સમગ્ર ઘટનામાં ભીનું સંકેલી લેવામાં આવ્યું હતું બનાવની પણ કોઈ પોલીસ ફરિયાદ નોંધાવી નહોતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp