બોટાદ:રાણપુર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં ગંદકીના ઢગલાથી રહીશો ત્રાહીમામ

બોટાદ:રાણપુર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં ગંદકીના ઢગલાથી રહીશો ત્રાહીમામ

બોટાદ:રાણપુર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં ગંદકીના ઢગલાથી રહીશો ત્રાહીમામ

બોટાદ:રાણપુર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં ગંદકીના ઢગલાથી રહીશો ત્રાહીમામ
બોટાદ:રાણપુર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં ગંદકીના ઢગલાથી રહીશો ત્રાહીમામ

 

 

બોટાદ જીલ્લાના રાણપુર શહેરમાં આવેલ નવાપરા વિસ્તારમાં ગંદકીના ઢગલાથી રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે

અને આવી રહેલી વિધાનસભા ચુંટણી નો બહિષ્કાર કરવાના મુડમાં છે

છેલ્લા ૧ વર્ષથી આ નવાપરા વિસ્તારમાં સફાઈ કરવા કોઈ નથી આવતુ

તાત્કાલિક ગંદકી દુર નહી થાય તો ગ્રામ પંચાયત સામે ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિક રહીશો એ ચિમકી ઉચ્ચારી છે.

રાણપુર શહેરમાં ગ્રામ પંચાયત પાછળ આવેલ નવાપરા વિસ્તારમાં ઠેર-ઠેર ગંદકીના ઠગલા થી રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.

નવાપરા ના નાકે જ આખા ગામનો કચરો નાખવામાં આવે છે

તેવુ સ્થાનિક રહીશો કહી રહ્યા છે.

નવાપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ ની પણ કોઈ સુવીધા નથી છેલ્લા એક વર્ષથી આ વિસ્તારમાં ગ્રામ પંચાયત દ્વારા કોઈ સફાઈ કરવામાં આવી નથી.

નવાપરા ની શેરી સામે જ દુર્ગંધ મારતા ગંદકી ના કચરાના ઠેર-ઠેર ઢગલા ખડકાયા છે

જેના લીધે નવાપરા વિસ્તારમાં ઘરે-ઘરે માંદગી ના ખાટલા છે તેવુ રહીશો કહી રહ્યા છે.

આખા ગામનો કચરો નવાપરા ના નાકે નાખી ગંદકી કરે છે

અને આ ગંદકી ને કારણે રહીશો ત્રાહીમામ પોકારી ગયા છે.

ગ્રામ પંચાયતની કચરો લેવા આવતી રીક્ષા પણ એક વર્ષથી બંધ થતા રહીશો ભારે હાલાકી નો સામનો કરી રહ્યા છે.

નવાપરા ના નાકે ખંડેર હાલતમાં શોચાલય છે તેની આસપાસ ગંદકી ખદબદી રહી છે

જેની રજુઆત ગ્રામ પંચાયત ને અવાર-નવાર લેખીત તેમજ મૌખીક રજુઆત કરવા છતા

કોઈ જ પરીણામ નહી આવતા અંતે નવાપરા વિસ્તારના લોકો એ ગ્રામ પંચાયતને તાત્કાલિક ગંદકી દુર કરવા અને નિયમીત સફાઈ કરવા માંગ કરી છે

જો આ સમસ્યા નો કોઈ ઉકેલ નહી આવે તો આગામી વિધાનસભા ની ચુંટણી નો બહિષ્કાર કરી ગ્રામ પંચાયત સામે આંદોલન ઉપર બેસવાની નવાપરા વિસ્તારના રહીશો એ ચિમકી ઉચ્ચારી છે..

જ્યારે આ વોર્ડના ચુંટાયેલા સભ્ય ભાજપના હોય

એટલે આ વિસ્તારનું કામ નથી થતુ એવુ પણ રહીશો કહી રહ્યા છે.

ત્યારે આ વિસ્તારના લોકોની માંગ છે કે તાલુકા પંચાયત,જીલ્લા પંચાયત,ગુજરાતમાં અને દેશ માં ભાજપની સરકાર છે

તો બોટાદ જીલ્લાના રાણપુર શહેરના નવાપરા વિસ્તારના લોકો એક વર્ષ કરતા વધુ સમયથી ગંદકી વચ્ચે રહી જીવન ગુજારી રહ્યા છે

તો વહેલીતકે આ સમસ્યાનો ઉકેલ આવે તેવુ રહીશો ની માંગ છે..

 

 

 

 

 

🌹રિપોર્ટર: વિપુલ લુહાર,રાણપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp