મોરબી બિલાલી મસ્જિદ ખાતે પુલ હોનારત મા મૃત્યુ પામેલા સર્વે સમાજના શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ સાથે ફાત્યા ખાની અર્પણ કરાય

મોરબી વીસીપરામા હિંન્દુ મુસ્લીમ એકતા સાથે ઝુલતાપુલ હોનારતમા મૃત્યુ પામેલાની દિવ્ય આત્માની શાંતી માટે કેન્ડલમાર્ચ ફાતેહાખાની રાખવામા આવી હતી
વિયો- મોરબીમાં સવેરા ફાઉન્ડેશન દ્વારા મોરબી ઝુલતાપુલ દુર્ઘટનામાંમૃત્યુ પામેલા સર્વે સમાજના આત્માને શાંતિ સુમન શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ સાથે ફાત્યા ખાની અર્પણ કરવામાં આવેલ હતી
આ દુઃખદ ઘટના મા હિંદુ મુસ્લિમ સમાજના બાળકો મહિલાઓ યુવાનો પુલ હોનારતમાં દુઃખદ અવસાન પામેલ હોય
જેના અનુસંધાને મુસ્લિમ મિયાણા સમાજ સહિત સમગ્ર વીસીપરા વિસ્તારના હિંદુ મુસ્લિમ સમાજે સર્વે સમાજના ઝુલતાપુલ દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા છે
તેવા સર્વે સમાજના ને શ્રદ્ધાંજલિ કેન્ડલ માર્ચ સાથે ફાતિયા ખાની માં સર્વે હિન્દુ મુસ્લિમો મોટી સંખ્યામાં હાજરી આપી
આ દુઃખદ ઘટનામાં હુસેની ચોક થી બાલા હનુમાનજીના મંદિર ખાતે કેન્ડલ માર્ચ રેલી યોજાઇ હતી
ત્યારબાદ નાના ભૂલકાઓને પ્રસાદી ન્યાજ વિતરણ કરવામાં આવી હતી
આ દુઃખદ કાર્યક્રમમાં સવેરા ફાઉન્ડેશન સંસ્થા ના કાર્યકરો આયોજકો સાથે મીયાણા મુસ્લિમ સમાજ સહિત સર્વે હિન્દુ મુસ્લિમ કોમી એકતાના પ્રતીક આ દુઃખદ કાર્યક્રમમાં જોડાયા હતા
જેમાં મિયાણા સમાજના પ્રમુખ હુસેનભાઇ ભટ્ટી તેમજ સવેરા ફાઉન્ડેશનના ઇલિયાસભાઈ નોતીયાર તેમજ જયંતીભાઈ કાઉન્સિલર સાથે કાનાભાઈ ભરવાડ વગેરે મોટી સંખ્યામાં હાજરી આપી હતી
જે તસ્વીરમાં દ્રશ્યમાન થાય છે