લુણાવાડા કોટેજ ચાર રસ્તા ખાતે જીલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું અનાવરણ
![લુણાવાડા કોટેજ ચાર રસ્તા ખાતે જીલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું અનાવરણ](http://cpnews24.in/wp-content/uploads/2022/10/WhatsApp-Image-2022-10-07-at-1.00.39-PM.jpeg)
રાજપૂત સમાજના અગ્રણી મહાનુભાવો અને મોટી જનમેદની ઉપસ્થિત
મહીસાગર જિલ્લા રાજપૂત યુવા સંગઠન દ્વારા વીર યોધ્યા અને હિન્દુ હૃદય સમ્રાટ મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું મહીસાગર જિલ્લા મથક લુણાવાડા કોટેજ ચાર રસ્તા ખાતે મહારાજા સિધ્ધરાજસિંહજીના અધ્યક્ષસ્થાને રાજપૂત સમાજના અગ્રણી મહાનુભાવો અને મોટી જનમેદનીના જયકારા સાથે અનાવરણ કરાયું.
આમ આ અવસરે રાજમહેલથી શોભાયાત્રા,શ્રી સજજનકુંવરબા હાઈસ્કુલ ખાતે શસ્ત્ર પૂજન મહારાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાનું અનાવરણના ત્રિવિધ કાર્યક્રમમાં મરીડા ધામના સિધ્ધુમાડી,પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ કામીનીબા, લુણાવાડા ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક,પૂર્વ ધારાસભ્ય સુરપાલસિંહજી,મહંત અરવિંદગીરી, મહિસાગર જીલ્લા રાજપુત યુવા સંગઠન ના પ્રમુખ જયદેવસિંહ સોલંકી,રાજપૂત સમાજ સેવા ટ્રસ્ટ ના પ્રમુખ યોગેન્દ્રસિંહ,મુખ્ય દાતા પ્રેમબા હાડા,પંચમહાલ મહિલા સંગઠન પ્રમુખ સુનિતાબા,મહીસાગર મહિલા સંગઠન પ્રમુખ નિરુબા, જિલ્લા ભાજપ મહામંત્રી પ્રદીપસિંહ,હોમગાર્ડ કમાન્ડર ભુમિરાજસિંહ, અજયસિંહ ચૌહાણ,નગરપાલિકા પૂર્વ પ્રમુખ જયેન્દ્રસિંહ સહિત સમાજના અગ્રણી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વિજયા દશમીના પાવન અવસરે જિલ્લા મહિસાગર જીલ્લા રાજપુત યુવા સંગઠન દ્વારા આયોજીત ભવ્ય શોભાયાત્રા રાજમહેલથી યોજાઇ હતી
જે શ્રી સજ્જનકુંવરબા હાઇસ્કૂલ ખાતે પહોંચી હતી,
જ્યાં શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ યોજાયો જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજના લોકોએ જોડાયા હતા.
આ કાર્યક્રમમાં મહીસાગર જીલ્લા રાજપૂત યુવા સંગઠન દ્વારા કોરોના કાળમાં કરેલ સેવાકાર્યની સરાહના કરવામાં આવી હતી.
રાણા પ્રતાપની ભવ્ય પ્રતિમાની સ્થાપના માટે દાતાઓના દાનને બિરદાવી સન્માનિત કરાયા હતા.
રોશનીના ઝળહળાટ અને આતશબાજી સાથે ખુલ્લી મુકાયેલ પ્રતિમા સૌ કોઈ માટે પ્રેરણા સ્ત્રોત્ર બનશે
તેવી પ્રાર્થના સાથે મહાઆરતી કરવામાં આવી હતી.
આ અવસરે ચોકનું મહારાણા પ્રતાપ ચોક નામાભિધાન કરવામાં આવ્યું.