લુણાવાડા શહેર તેમજ આસપાસના પંથકમાં વરસાદી ઝાપટું પડતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી
![પ્રતીકાત્મક તસવીર:લુણાવાડા શહેર તેમજ આસપાસના પંથકમાં વરસાદી ઝાપટું પડતા ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી](http://cpnews24.in/wp-content/uploads/2022/09/39-3.webp)
જે રીતે હવામાન વિભાગ દ્વારા નવરાત્રી દરમિયાન વરસાદની આગાહી કરવામાં આવી છે.
ત્યારે નવરાત્રીના આજે ત્રીજા નોરતે મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેર તેમજ આસપાસના વિસ્તારોમાં સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો
અને વરસાદી ઝાપટું વરસ્યું હતું.
નવરાત્રી દરમિયાન વરસાદને લઈ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.
તેવામાં આજે લુણાવાડા શહેર અને આસપાસના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટા પડ્યા હતા.
ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી વાતાવરણમાં બફારો અને ઉકળાટ અનુભવાય રહ્યો હતો.
તેવામાં આજે વરસાદી ઝાપટા પડયા છે,
તો બીજી બાજુ ગરબા આયોજકો અને ખેલૈયાઓમાં નિરાશા જોવા મળી છે.
ત્યારે વરસાદ રંગમાં ભંગ ના પાડે તેવી સૌકોઈ આશા રાખી રહ્યા છે.