વડાપ્રધાન મોદી આજે અંબાજીમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવશે

પ્રતીકાત્મક તસવીર:વડાપ્રધાન મોદી આજે અંબાજીમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવશે

વડાપ્રધાન મોદી આજે અંબાજીમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવશે

પ્રતીકાત્મક તસવીર:વડાપ્રધાન મોદી આજે અંબાજીમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવશે
પ્રતીકાત્મક તસવીર:વડાપ્રધાન મોદી આજે અંબાજીમાં મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાની શરૂઆત કરાવશે

 

મુખ્યમંત્રી ગૌમાતા પોષણ યોજનાનો લાભ મેળવવા માટે ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ આંદોલન કર્યા હતા.

આ યોજનાનો રાજ્ય સરકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે અંબાજીથી આરંભ કરાવશે તેવી સત્તાવાર જાહેરાત ગુરુવારે કરવામાં આવી છે.

ગૌમાતા પોષણ યોજનાના છેવટે અમલમાં

બજેટમાં રાજ્યના કૃષિ અને પશુપાલન વિભાગે મંજૂર કરેલી પણ મુખ્યમંત્રી કાર્યાલયમાં અટવાયેલી ગૌમાતા પોષણ યોજનાના છેવટે અમલમાં આવશે.

આ યોજનાના આરંભ સમયે વડાપ્રધાન 5 ગૌશાળ અને પાંજરાપોળના સંચાલકોને સહાયના ચેક અર્પણ કરશે.

યોજનામાં રાજ્યની પાંજરાપોળ અને ગૌશાળામાં નભતા પશુઓને નિભાવ ખર્ચ આપવામાં આવે છે.

યોજનાનો અમલ પાછલી અસરથી થશે કે સપ્ટેમ્બર મહિનાથી તેની જાણકારી ગુરુવારે મળશે તેમ સૂત્રોનું કહેવું છે.

500 કરોડની યોજનામાં માળખાકીય સહાયની જોગવાઈ

ગુજરાત સરકારે ચાલુ વર્ષના બજેટમાં આ યોજના માટે 500 કરોડની જોગવાઈ કરી હતી.

જેમાં ગૌશાળાઓ અને પાંજરાપોળમાં માળખાકીય સુવિધાઓનું પ્રાવધાન હતું.

એક ગૌવંશને પ્રતિદિન રૂ. 30 અને નંદીને રૂ. 40 ચૂકવવામાં આવશે તેવી જાહેરાત રાજ્ય સરકારે કરી છે.

ગૌશાળા સંચાલકોને જોગવાઈ અંગે અસંતોષ

આ જાહેરાત માત્ર ગૌશાળામાં શેડ સહિતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર માટે હતી,

પરંતુ પશુઓના નિભાવ માટે કોઈ જોગવાઈ નથી તે મુદ્દે સંચાલકોને અસંતોષ હતો.

કોરોના કાળ દરમિયાન રાજ્ય સરકારે ગૌશાળાઓ અને પાંજરાપોળોને પશુ દીઠ ઘાસચારા માટે આપી હતી

તેવી સહાયની માગ તેમણે કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp