અરવલ્લીમાં નીલગાય-જંગલી ભૂંડના ત્રાસથી સંપૂર્ણ પાકનો સોથ વળ્યો; ખેડૂતોની ફેન્સિંગ કે વાડ કરી આપવા માગ

ખેડૂત મહામુશ્કેલીએ ખેતરમાં વાવેતર કરતાં હોય છે. મોંઘા ભાવનું બિયારણ ખાતર લાવીને માવજત કરે છે.
પરંતુ જંગલી પશુઓના ત્રાસથી તૈયાર થયેલો પાક બરબાદ થઈ જાય છે.
ત્યારે, અરવલ્લી જિલ્લામાં તડબૂચના પાકમાં જંગલી ભૂંડ અને નીલગાયના રોજના ત્રાસથી ઉભો પાક સોથ વળી ગયો છે.
ખેડૂતોના માથે આભ તૂટી પડવા જેવો ઘાટ.
માલપુર તાલુકામાં વિશેષ તડબૂચનું વાવેતર કરવામાં આવ્યું છે.
વીઘે 25 હજાર કરતાં વધુ ખર્ચે વાવેતર કરી ખૂબ મહેનત પણ કરી છે.
ત્યારે જંગલી ભૂંડ અને નીલગાય ઉભા પાકને બરબાદ કરી નાખે છે.
સંપૂર્ણ ઉભો પાક નાશ કરી નાખે છે અને ખેડૂતોના માથે આભ તૂટી પડવા જેવો ઘાટ થાય છે.
ત્યારે ખેડૂતોની માંગ છે કે તંત્ર દ્વારા ખેતરોમાં તારની વાડ કે ફેન્સિંગ કરવામાં આવે.