વાઘોડિયા દેવ કાંઠા વિસ્તારમાં દીપડાનો આતંક, ઘોડાદરા અને ગોરજમાં ભેંસના બચ્ચાનો દીપડાએ શિકાર કર્યો
વાઘોડિયા તાલુકાના દેવ નદી કાંઠે આવેલ ઘોડાદરા ગામે રહેતા અરવિંદભાઈ અમરસિંહ પરમાર મંદિરવાળું ફળીયું પોતાના પશુધનને લઈ સીમમાં આવેલ પોતાના ખેતરે ઢોરવાડામાં બાંધી રાત્રે મીઠી નીંદમા હતા.
ત્યારે લગભગ રાત્રિના અઢી વાગે દેવ નદી કાંઠામાંથી એક દીપડો આવી ચાર દિવસ પહેલા જન્મેલ ભેંસના બચ્ચાને પોતાનો શિકાર કરી ઉઠાવી ગયો હતો.
આ અંગે પશુપાલકે વાઘોડિયા વન વિભાગને જાણ કરી હતી.
તો બીજા બનાવવામાં ગોરજ ગામમાં રહેતા મહેશ ચૌહાણ પોતાના પશુઓને વાડામાં બાંધી આરામ કરતા હતા.
ત્યારે રાત્રિના 11:30ની આસપાસ દીપડાએ ત્રણ દિવસ પહેલા જન્મેલ ભેંસના બચ્ચાને ખીલા સાથે બાંધેલ દોરડું તોડી ખેંચી ગયો હતો.
પોતાના પશુની ભાભરવાનો અવાજ સાંભળી વાડામાં દોડી જતા દિપડો બચ્ચાને લઈ જતા જોયો હતો.
જેથી આસપાસના લોકો એકત્ર થઈ હાથમાં ડાંગ સાથે દીપડાનો પીછો કરતા થોડે દૂર દીપડાે શિકારને મૂકી અંધારામાં અંતર ધ્યાન થઈ ગયો હતો.
આ અંગે પશુ માલિકે વાઘોડિયા વન વિભાગને જાણ કરી હતી.
વાઘોડિયા વન વિભાગે ઘટના સ્થળે મુલાકાત લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
ત્યારે ઠંડીનો ચમકારો શરૂ થતા વાઘોડિયા પંથકમાં ફરી એકવાર દેવ નદી કાંઠા વિસ્તારમાં દિપડો પશુધનનો ખાતમો બોલાવતા પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે.
સાથે જ દીપડાને પાંજરે પુરવા લોકમાગ પણ ઉઠી રહિ છે.