ગોધરામાં મોદીના કાર્યક્રમમાં બસ ફાળવાતા મુસાફરો અટવાયા; બસ સ્ટેશન પર ભુખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં મોદીના કાર્યક્રમમાં બસ ફાળવાતા મુસાફરો અટવાયા; બસ સ્ટેશન પર ભુખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો

ગોધરામાં મોદીના કાર્યક્રમમાં બસ ફાળવાતા મુસાફરો અટવાયા; બસ સ્ટેશન પર ભુખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો

પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં મોદીના કાર્યક્રમમાં બસ ફાળવાતા મુસાફરો અટવાયા; બસ સ્ટેશન પર ભુખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો
પ્રતીકાત્મક તસવીર:ગોધરામાં મોદીના કાર્યક્રમમાં બસ ફાળવાતા મુસાફરો અટવાયા; બસ સ્ટેશન પર ભુખ્યા તરસ્યા બેસી રહેવાનો વારો

 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજરોજ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે

અને આ બંને દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે.

જેમાં અમદાવાદના નેશનલ ગેમ્સનો સાથે વંદે ભારત અને મેટ્રો રેલવેના પ્રારંભ કરાવશે.

ત્યારે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાંથી 240 બસો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં અમદાવાદ ખાતે જનમેદની એકઠી કરવા માટે ફાળવવામાં આવતા મુસાફરોને સહિત નોકરિયાત વર્ગને ભારે હાલાકી ભોગવી પડી હતી.

240 બસો કાર્યક્રમમાં ફળવાતા મુસાફરો હાલાકી

શહેરા તાલુકાના વાઘજીપુર ખાતે આવેલ ખોખરી ગામે રહેતા શ્રમજીવી પરિવારના સાતથી વધારે લોકો મજૂરી અર્થે જામનગર ખાતે જવા માટે બસનું રિઝર્વેશન કરાયું હતું.

જેથી તેઓ રાત્રિના દસ વાગ્યે ગોધરા બસ સ્ટેન્ડ ઉપરથી જામનગરની બસ ઉપાડવાની હતી,

પરંતુ રાત્રિના દસ વાગ્યા સુધી જામનગરની બસ ન આવવાથી શ્રમજીવી પરિવાર આખી રાત ભૂખ્યા તરસ્યા ગોધરા બસ સ્ટેશન ઉપર બેસી રહેવાનો વારો આવ્યો હતો.

શ્રમજીવી પરિવાર ગોધરા બસ સ્ટેશનમાં અટવાયું

શ્રમજીવી પરિવારે દિવ્યભાસ્કરની ટીમ સાથે વાત કરતા જણાવ્યું હતું કે, અમે રાત્રિના દસ વાગ્યાથી ગોધરા બસ સ્ટેન્ડ પર આવીને બેઠા છે.

અમે જ્યારે કંટ્રોલ પોઈન્ટ ઉપર જઈ ફરજ પરના કર્મચારીને પૂછે છે કે, જામનગરની બસ ક્યારે આવશે? તો ફરજ પરના કર્મચારી રાતના એક જ જવાબ આપી રહ્યા છે કે, બસ અડધો કલાકમાં આવી જશે.

આજે અડધા કલાકનો 12 કલાક વીતી ગયા તે છતાં પણ જામનગરની બસ ન આવવાથી શ્રમજીવી પરિવાર ગોધરા બસ સ્ટેશનમાં અટવાયું હતું.

કાર્યક્રમમાં ગોધરા ડેપોની 25 બસો ફળવાઈ


​​​​​​​
ફરજ પરના ગોધરા ડેપો મેનેજર કે એ પરમારને દિવ્યભાસ્કરે ટેલીફોનીક વાતમાં આ સાત શ્રમજીવી પરિવાર આખી રાત જામનગરની બસના લીધે અટવાયું છે

એ વિશે પૂછતા તેઓએ જણાવ્યું હતું કે, હાલ પાવાગઢ ખાતે આસો નવરાત્રિનો મેળો હોવાના કારણે હું પાવાગઢ છું

અને આ સાત શ્રમજીવી પરિવાર ગોધરા બસ સ્ટેશનમાં અટવાયા છે

તેની વિશે મને કોઈ જાન નથી, તે છતાં પણ હું તપાસ કરાવું છું.

હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમમાં ફાળવવામાં આવેલ ગોધરા ડેપોની 25 બસોના કારણે મુસાફરોને તકલીફ ન પડે તે માટે એક્સપ્રેસના રૂટની બસોને ડાયવર્ટ કરી લોકલ શિડ્યુલમાં ફેરવવામાં આવશે.

જેના કારણે ગ્રામ્ય વિસ્તારના મુસાફરને તકલીફ ન પડે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp