રાજકોટના વીંછીયામાં માતાએ નાસ્તો બનાવવા માટે ઠપકો આપતા તરુણીએ ઝેરી દવા પી કરી આત્મહત્યા

રાજકોટ જિલ્લાના વિંછીયાના વ્હોરાના કબ્રસ્તાન વિસ્તારમાં રહેતી 15 વર્ષીય તરૂણીએ ઝેરી દવા પી આત્મહત્યા કરી હોવાની ઘટના સમર આવી છે.
માતાએ નાસ્તો બનાવવાનું કહેતા કામબાબતે ઠપકો મળતા માઠું લાગી જતા ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરીવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
સોમવારે સવારે ખડમાં છાંટવાની દવા ગટગટાવી હતી
રાજકોટ જિલ્લાના વિંછીયામાં આવેલ વ્હોરાના કબ્રસ્તાનમાં રહેતા સીકંદરભાઈ પઠાણની 15 વર્ષીય પુત્રી ગઈ તા.19ના સવારે નવ વાગ્યે ખડમાં છાંટવાની દવા ગટગટાવી લેતા બેભાન થઈ ઢળી પડી હતી.
જેને સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
પરંતુ આજે તેનું ટુંકી સારવાર દરમિયાન મોત નિપજયું હતું. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો
અને જરૂરી કાગળો કરી મૃતદેહને પોસમોર્ટમ અર્થે ખસેડી આપઘાતનું કારણ જાણવા પરીવારની પુછપરછ હાથ ધરી હતી.
માતા દીકરી વચ્ચે બોલાચાલી થતા માઠું લાગતા આત્મહત્યા કરી
મૃતકના પિતા સિકંદરભાઈએ જણાવ્યું હતું કે હું પરિવાર સાથે બોટાદના ગઢડાથી નવ મહિના પહેલા વિંછીયા રહેવા આવ્યો હતો
અને અહીં ભીક્ષાવૃત્તિ કરી કબ્રસ્તાનનું દેખરેખ રાખતો હતો.
બે દિવસ પહેલા મારી દીકરી વહેલી સવારે ઉઠી ત્યારે તેની માતાએ નાસ્તો બનાવવાનું કહ્યું હતું.
જેથી બન્ને વચ્ચે ઝઘડો થયો હતો જેનું તેને માઠુ લાગી આવતા અંતિમ પગલું ભર્યું હતું.