પંચમહાલ : ગોધરાના વિકાસની વાતો ના બદલે ફક્ત આ વિસ્તાર ની ગંદકી સાફ કરાવે તોય ઘણુ કહેવાય..

પંચમહાલ જીલ્લા ના ગોધરા શહેરનો પશ્ચિમ વિસ્તાર નગર પાલીકા ગોધરા દ્વારા સુવિધાઓથી વંચિત રાખવામા આવેલ છે..
ઠેર ઠેર કચરાના ઢગલાઓ, છલકાતા ઉકડાઓ, રોડ અને રસ્તાઓ ઉપર લાઈટ ની
સુવિધાઓ નો અભાવ હોવાથી કાયમ માટે અંધારપટ જેવી કાયમી અસુવિધાઓની સ્થિતિ જોવા મળે છે..
ગોધરા અશરફી મસ્જિદ ની પાછળ ગોધરા નગરપાલિકા દ્વારા કચરાનું ટેકટર ન આવતા લોકો ગંદકીથી હેરાન-પરેશાન થઈ ગયા છે..

જ્યા જુવો ત્યા ઠેર ઠેર કચરાના ઢગલા ના કંટીનરો ઉભરાતા સ્થાનિકોનું એવું કહેવું છે કે
નિયમિત કચરો લેવા આવે તો ડેન્ગ્યુ મેલેરિયા જેવા રોગોથી બચી શકાય.. આજ રીતે ગોધરા નગરપાલિકા નિંદ્રામાં રહેશે તો
ગોધરામાં દવાખાના ઉભરાતા જોવા મળશે તેવુ પ્રજાજનો ને ડર સતાવી રહ્યો છે..
સરકારના અધિકારીઓ અને પદાધિકારીઓ ખાલી વિકાસ ની વાતો ના બદલે
ફક્ત ગોધરા નગર પાલીકા વિસ્તાર ની ગંદકી સાફ કરાવે તોય ઘણુ કહેવાય..તેવુ જાગૃત નાગરિકોનુ કહેવુ છે..