પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

પ્રતીકાત્મક તસવીર:પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

પ્રતીકાત્મક તસવીર:પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ
પ્રતીકાત્મક તસવીર:પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધી, વેપારીઓમાં ખુશીનો માહોલ

 

ફુલો અને વિવિધ સુગંધીત દ્રવ્યો વગર કોઈપણ ઈશ્વરની પૂજા અર્ચના અને આરાધના પૂર્ણ થતી નથી

ત્યારે નવરાત્રી પર્વને લઈ પાટણ શહેરના ફુલબજારમાં ફુલોની માંગ વધતા વિવિધ પ્રકારના ફુલહારોમાં તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આદ્યશકિત માં જગતજનની જગદંબાની ભકિત, ઉપાસના અને આરાધનાનું મહાપર્વ નવરાત્રી મહોત્સવ શ્રઘ્ધા, ભકિત અને આસ્થાના ત્રિવેણી સંગમ સાથે પ્રારંભ થઈ ચુક્યો છે.
ર્મા જગદંબાની પૂજા અર્ચના અને આરાધનામાં શ્રધ્ધાળુ ભકતો ર્માની ઉપાસનામાં તલ્લીન બની જશે.
તો જેના વગર જગદંબાનો શૃંગાર અધુરો ગણાય છે તેવા ફુલહારની માંગમાં પણ નવરાત્રી પર્વને લઈ વધારો થતા શહેરના ફુલબજારમાં વિવિધ ફુલોની જાતોમાં સામાન્ય દિવસ કરતા બમણો ભાવવધારો જોવા મળી રહયો છે.

સામાન્ય દિવસોમાં ચમેલી, પારસ, અને ગલગોટાના હાર 15 થી 20 રૂપિયામાં વેચાતા હતા

જેના ભાવ હાલમાં 50 થી 60 રૂપિયા બોલાઈ રહયા છે…

તો બીજી તરફ શ્રાવણ માસમાં ગુલાબના ભાવ 200 રૂપિયા હતા જે વધીને 300 થી 400 રૂપિયા થઈ ગયા છે…

તો ચમેલી અને મોગરાના હારમાં અતિશય ભાવવધારો જોવા મળી રહયો છે

જે સામાન્ય દિવસોમાં માત્ર 10થી20રૂપિયાના ભાવે વેચાતા હતા જે હાલમાં 80થી 100 રૂપિયાના ભાવે વેચાતા જોવા મળી રહયા છે.

આમ પાટણ શહેરમાં નવરાત્રીથી દિવાળી સુધીના દિવસોમાં ફુલબજારના ભાવોમાં તેજી જોવા મળશે…તેવુ વેપારીઓ દ્વારા જાણવા મળ્યુ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp