વડોદરામાં કૂતરાને મોઢા અને ગળાના ભાગે તિક્ષ્ણ હથિયારના ઘા માર્યા, કરુણા એમ્બ્યુલન્સ 1962ની ટીમે સારવાર આપી

રાજ્ય સરકારે અબોલ પશુઓની સેવા સારવાર માટે 1962 કરુણા એમ્બ્યુલન્સ સેવા શરૂ કરી છે.
વડોદરામાં કરુણા એમ્બ્યુલન્સની ટીમે કૂતરાને નવજીવન આપી સાચે જ અબોલ પ્રાણીઓ પ્રત્યેની સંવેદનાની પ્રતીતિ કરાવી છે.
ભસતા કૂતરાને માર માર્યો
વડોદરા શહેરના ન્યુ અલકાપુરી વિસ્તારમાં લગભગ રાત્રિના સમયે કોઈ અજાણ્યા વ્યકિતએ એક શ્વાન પર મોઢાના અને ગળાના ભાગમાં તિક્ષ્ણ હથિયારથી માર માર્યો હતો.
જેથી તે ભસી ના શકે. આ કૂતરું આખી રાત પીડાથી પીડાતું રહ્યું. પરંતુ, સવારની પહોર તેના માટે એક નવી જિંદગી બનીને આવી,
સ્થાનિક લોકો સવારના આ શ્વાનને જોતા જ એક સેવાભાવી વ્યક્તિએ 1962 ઉપર મદદ માંગી હતી.
તુરંત જ કરુણા એમ્બ્યુલન્સના ડો.ચિરાગ પરમાર અને પાયલોટ ધર્મેન્દ્રભાઈ ઘટના સ્થળે પહોંચતા કૂતરાની હાલત જોઈ સ્તબ્ધ થઈ ગયા.
એમ્બ્યુલન્સમાં રહેલ ડોગ કેચિંગ નેટ દ્વારા મહા મુસીબતે કૂતરાને પકડીને એમ્બ્યુલન્સમાં મૂકી તેમની ટીમ કૂતરાને બેહોશ કરીને સૌ પ્રથમ તેના ઘાને સાફ કરીને તેના ઘાવ એટલો ઊંડો હતો કે તેના મસલ પણ દેખાતા હતા.
કૂતરાને 15 ટાંકા લીધા
ડોક્ટરે કૂતરાને 15 ટાંકા લીધા હતા.
એક કલાકની સર્જરી હાથ ધર્યા બાદ કૂતરાને હોશ આવે ત્યાં સુધી એમ્બ્યુલન્સ પણ ત્યાં જ રોકાઈ હતી.
જયારે કૂતરું સંપૂર્ણ હોશમાં આવી ગયું ત્યારે એમ્બ્યુલન્સ પાસે આવીને બેસી ગયું હતું.
GVK EMRIની કરુણા એમ્બ્યુલન્સ અને તેની ટીમ દ્વારા કૂતરાને મોતના મુખમાંથી બચાવી લઈને એક નવું જીવનદાન આપ્યું હતું.