શક્તિપીઠ પાવાગઢમાં નવનિર્મિત મંદિરે રોજ 5 લાખ ભકતો આવવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર:શક્તિપીઠ પાવાગઢમાં નવનિર્મિત મંદિરે રોજ 5 લાખ ભકતો આવવાનો અંદાજ

શક્તિપીઠ પાવાગઢમાં નવનિર્મિત મંદિરે રોજ 5 લાખ ભકતો આવવાનો અંદાજ

પ્રતીકાત્મક તસવીર:શક્તિપીઠ પાવાગઢમાં નવનિર્મિત મંદિરે રોજ 5 લાખ ભકતો આવવાનો અંદાજ
પ્રતીકાત્મક તસવીર:શક્તિપીઠ પાવાગઢમાં નવનિર્મિત મંદિરે રોજ 5 લાખ ભકતો આવવાનો અંદાજ

 

પાવાગઢ મંદિર નવિન બન્યું તેમજ પાવાગઢ માં પાંચસો વર્ષ બાદ નવીન શિખર મંદિર પર વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા માતાજીના નવીન શિખરમંદિર પર ધ્વજારોહણ કરાયા બાદ ભક્તોની આસ્થા અને શ્રદ્ધા બેવડાઈ ગઈ છે.

આગામી નવરાત્રીમાં દર વર્ષ કરતાં વધુ માઇભક્તો માતાજીના દર્શન કરવા આવવાની શકયતાઓ સેવાઇ રહી છે.

માતાજીના દર્શન સહેલાઇથી કરી શકે તેવા આયોજન

બીજી તરફ નવરાત્રીને ગણતત્રી ના દિવસો રહ્યા છે.

ત્યારે પાવાગઢ મંદીર ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નવરાત્રીમાં ભક્તોને સહેલાઇથી માતાજીના દર્શન કરે તેવી સુવીધાઓ ઉભી કરવા મીટીંગનો દોર શરૂ કર્યો હતો.

અગાઉની નવરાત્રીમાં 10 થી 12 લાખ શ્રધાળું આવતા હતા. પણ મંદિર નવિન કરણ થતાં શ્રધાળુંઓ રોજના 5 લાખ આવવાની તંત્ર શકતાઓ સેવી રહ્યા છે.

જેને લઇને તંત્ર દ્વારા 5 લાખ ભક્તો એક દિવસ માતાજીના દર્શન સહેલાઇથી કરી શકે તેવા આયોજનમાં લાગી ગયા છે.

50 લાખ કરતાં વધુ શ્રધાળુંઓ માતાજીના દર્શન કરશે

પાવાગઢ દર્શનાર્થીઓ પાર્કીગ કરવા વડા તળાવ સુધી જવું પડતું હતું.

પણ આ વખતે નવરાત્રીમાં ડુંગર નજીક સમસ્યાને નિરાકરણ લાવવા નજીકમાં પાર્કીગની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે.

નવરાત્રી દરમિયાન તળેટી થી માંચી સુધી એસટી બસ સેવા શરૂ કરી યાત્રાળુઓને લઇ જવાશે.

નવરાત્રીમાં તંત્રના અનુમાન મુજબ પ્રથમવાર નવિન માતાજીના મંદિરે રોજના 5 લાખ મુજબ નવરાત્રીના નવ દિવસમાં 50 લાખ કરતાં વધુ શ્રધાળુંઓ માતાજીના દર્શન કરશે તેવી શકતાઓ જણાવી હતી.

રોપવે 10 વાગ્યા સુધી ચાલુ રહેશે

પાવાગઢ ખાતે નવિન મંદિર, શિખર પર ધ્વાજારોહણ, કોરીડોર તથા માંચીમાં ચાચર ચોક બનાવ્યો છે.

લાખોની સંખ્યામાંશ્રધાળું માતાજીના દર્શન કર્યા બાદ નવિન કોરીડોર સહિતની સ્થળે ફરતા હોય છે.

જેથી તંત્ર અને પાવાગઢ ટ્રસ્ટ દ્વારા મંદિરના કપાટ 8 વાગે બંધ થયા બાદ પણ રોપવે 10 વાગ્યા સુધી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

નોરતામાં 60 ટન સુખડીનો પ્રસાદ વેચાશે

પાવાગઢ મંદીરે નવરાત્રીમાં અગાઉ 30 ટન સુખડીનો પ્રસાદ ભક્તો લેતા હતા.

પણ અા વખતની નવરાત્રીમાં ભક્તોનો ભારે ધસારો રહેતા સુખડીનો 60 ટન જેટલો પ્રસાદ ભક્તો લઇને ધન્યતા અનુભવશે. વેપારીઓ નોરતામાં વધુ વેપાર થવાની આશા સેવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp