ગરબાને કલાત્મક રીતે શણગારતા પ્રજાપતિ પરિવારો

પ્રતીકાત્મક તસવીર:ગરબાને કલાત્મક રીતે શણગારતા પ્રજાપતિ પરિવારો

ગરબાને કલાત્મક રીતે શણગારતા પ્રજાપતિ પરિવારો

પ્રતીકાત્મક તસવીર:ગરબાને કલાત્મક રીતે શણગારતા પ્રજાપતિ પરિવારો
પ્રતીકાત્મક તસવીર:ગરબાને કલાત્મક રીતે શણગારતા પ્રજાપતિ પરિવારો

 

ગોધરા શહરેમાં અલગ અલગ વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારો દ્વારા નવરાત્રી મહોત્સવમાં સ્થાપના કરવામાં આવતા માતાજીના ગરબાને કલાત્મક રીતે શણગારવાની તૈયારીઓ છેલ્લા 3-4 માસથી શરૂ કરવામાં અાવતી હોય છે. બજારમાં રૂા. 50થી 251 સુધીમાં ગરબાનું વેચાણ થતુ હોય છે.

નવરાત્રી એટલે શક્તિની આરાધનાનું પર્વ, અંબે માની સ્તુતિ આરાધનાનું પર્વ. આગામી તા.26 સપ્ટેમ્બરથી શરૂ થતો ગુજરાતનો સૌથી લાંબો નૃત્યનો તહેવાર એટલે કે નવરાત્રીની શરૂઆત થનાર છે.

ગરબોએ બ્રહ્માંડનું પ્રતિક છે અને ગરબામાં 27 છીદ્ર હોય છે. 9-9ની 3 લાઇન એટલે 27 છીદ્ર જે 27 નક્ષત્ર છે. એક નક્ષત્રને 4 ચરણ હોય છે.

27×4 = 108 એટલે ગરબાને મધ્યમાં રાખી તેની પ્રદક્ષિણા એટલે ગરબે ધુમો એટલે બ્રહ્માંડની પ્રદક્ષિણા ફર્યા કહેવાય છે.

લોકો સોળે શણગાર સજીને અલગ અલગ વેશભુષામાં સજ્જ થઇ 9 રાત સુધી ગરબા-દાંડિયા રમવા જાય છે.

પોતે આટલાં શણગાર શજે તો ગરબાને કેમ ન શણગારીએ એટલે લોકો નવરાત્રીમાં કલાત્મક રીતે શજાવેલા ગરબાની ખરીદી વધુ કરતા હોય છે.

જેના માટે પ્રજાપતિ પરિવારો 3-4 માસ અગાઉથી તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે.

ગોધરામાં અલગ અલગ વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારો દ્વારા માતાજીના ગરબા બનાવવામાં આવે છે.

પહેલાના સમયમાં લોકો માત્ર સાદા ગરબાની પુજા અર્ચના કરતા હતા.

પરંતુ સમયના બદલાવ સાથે લોકો વિવિધ ડિઝાઇનો સાથે કલાત્મક રીતે શણગારેલા ગરબાની માંગ કરતા ગયા.

લોકોની માંગને પુરી કરવા માટે પ્રજાપતિ પરિવારના સભ્યો માટીના સાદા ગરબાને કલર કરી આભલા, ટીલડી તથા તોઇનો ઉપયોગ કરીને માટીના સાદા ગરબાને નવરાત્રીના તહેવાર માટે કલાત્મક રીતે શણગારી રહ્યા છે.

ગોધરામાં નવરાત્રીના તહેવાર દરમિયાન સાદા તથા કલાત્મક રીતે શણગારેલા લગભગ 2500થી વધુ ગરબાનું વેચાણ થતો હોવાનું પરિવાર દ્વારા જાણવા મળ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

RSS
Follow by Email
YouTube
Instagram
Telegram
WhatsApp