સુરત : ઓલપાડા વિસ્તારમા દિવાલ પડી જતા કામ કરતા મજુરો દટાઈ જતા મૃત્યુ પામ્યા…

દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના વિસ્તાર ના છાયણ કાળાપીપળ ગામની ભૂરીયા કૈલાશબેન વિશાલભાઈ છાયણ બુરવાળા ગામની રહીશ અને
સૂરત ઓલપાડા વિસ્તારમા મજુરી કરીને પોતાનુ ગુજરાન ચલાવતા દિવાલ પડતા મૃત્યુ પામ્યા…
મળતી માહિતી મુજબ ગોવિંદ ગુરુ લીમડી તાલુકાના છાયણ કાળાપીપળ ગામના રાવત રેમાનભાઈ સોનબાઈ ની દિકરી નુ લગ્ન
છાયણ ગામના બુરવાળા ફળીયામા ભૂરીયા પરિવારમાં કરવામાં આવતા પોતાના કુટુંબ નું થયેલ દેવું ધોવા સૂરત ઓલપાડા ખાતે
બિલ્ડીંગ બનાવવામાં મજુરી કામ કરતા હતા.. કોન્ટ્રાકટર ની તદન નિષ્કાળજી ના કારણોસર માટીથી પૂરાણ કરતા
દિવાલ પર દબાણ આવતા દિવાલી પડી જતા કામ કરતા મજુરો પૈકી ભૂરીયા કૈલાસબેન વિશાલભાઇ દટાઈ જતા મૃત્યુ પામેલા છે….

સૂરત ખાતે દાહોદ જિલ્લાના,રાજસ્થાન,મધ્યપ્રદેશ.વિસ્તારના લોકો મજુરી કરતા જોવા મળે છે અને પોતાનું મજુરી કરીને જીવન નિર્વાહ કરે છે..
કામ કરાવતા કોન્ટ્રાક્ટરની હર હમેશા નિષ્કાળજી ના કારણે મજુરોના મૃત્યુ થતા જોવા મળે છે…
ગુજરાત સરકાર મા થી નિમણૂક કરવામાં આવેલ મજુર અધિકારીશ્રી ઓ અને કોન્ટ્રાકટરો ની મિલીભગત ના કારણે આ
આદિવાસી મજુરો રોટલો રળીને ગુજરાન ચલાવતા મજુરોનો કોઈ રણીધણી હોય તેમ જણાતુ નથી..
અને મજુરોના સંગઠનો દ્વારા લડત આપી ને મૃત્યુ પામેલા મજુરોને થોડીઘણી રકમ અપાવે છે..
પરંતુ આ મજૂરોને કામ કરાવતા કોન્ટ્રાક્ટરો દ્વારા કોઈપણ પ્રકારની સેફટી ની ફિકર ના રખાતા મજુરોની સલામતિ જોખમાય છે…
તો શહેરોમા બિલ્ડીંગો બનાવીને શહેરોમાં રહેઠાણો કરી આપતા આવા મજુરોના જાન જોખમાતા હોય તે કેટલા અંશે વ્યાજબી ગણી શકાય….?
તેના માટે મજુર અધિકારી શ્રી ઓ એ વિચારીને કોન્ટ્રાકટરો ની સામે કડકાઈથી કામ લેવા મજુર લોકોની માંગ ઉઠવા પામી છે…
હવે જોવુ રહ્યુ કે વહીવટીતંત્ર કેવા પ્રકારના પગલા ભરે છે કે પછી સબ સલામત ના ગાણા ગાતા રહેશે તે જોવુ રહ્યુ…..
🌹રિપોર્ટ બાય :
મનહરભાઈ એસ.ખડિયા,
મો. 96388 31463
સી.પી. ન્યુઝ,
કાળા પીપળ
