બહુચરાજી : લકઝરી બસ સાથે ના અકસ્માત નું શું છે સત્ય…?

બહુચરાજી મા લકઝરી બસ ના ચાલકે ઓચિંતી બ્રેક મારતા પાછળ આવતી કાર નું પડખું ચીરાઈ ગયું..ની હેડ લાઈન સાથે અમુક પત્રકારો દ્વારા સમાચાર પત્રો તેમજ સોશિયલ મીડિયા મા ચલાવાયેલ સમાચારો કેટલા અંશે સત્ય…??

સી.પી. ન્યુઝની ટીમ દ્વારા આ સમાચારો અને સત્ય હકીકત તપાસ કરતા તેમજ ગાડીના જીપીએસ તેમજ સીસીટીવી ફૂટેજ ચેક કરતા બસ પોતાની સાઈડે કંપનીનો સ્ટાફ લેવાનો હોવાથી 25 થી 35 ની સ્પીડ ના વચ્ચે ચાલી રહી હતી..
ત્યારે ટાટા પંચ ગાડી પાછળથી આવી બસના પાછળના ભાગે ડ્રાઇવર સાઈડે અથડાયેલ છે.. તે સમયે ટાટા પંચ ગાડીમાં બેઠેલા બે વ્યક્તિઓ ને ગંભીર ઇજા થતા
પોલીસ ટીમ તેમજ 108 તેમજ મારુતિ સુઝુકીની એમ્બ્યુલન્સ અને તેમની ટીમ આ બધા જ સમયસર આવી પહોંચતા
આ ઈજાગ્રસ્થ બંને વ્યક્તિઓને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં ખૂબ જ મદદ મળી હતી..
તપાસ દરમ્યાન અનુમાન લગાવી શકાય છે કે ટાટા પંચ ગાડી ની સ્પીડ વધુ હોય શકે..
જેથી આ ટાટા પંચ ના ચાલક પોતાની ગાડી ને સંભાળી શક્યા ના હોય શકે….
છતાં પણ કોઈપણ ને આ બાબતે શક હોય અથવા અમારી ટીમે જે તપાસ કરી છે તે અંગે કોઈ અસંતોષ હોય તો
આ ટાટા પંચ ગાડી ની સ્પીડ અંગેનો ટાટા કંપની દ્વારા રિપોર્ટ મંગાવી સાચી માહિતી મેળવી શકાશે…
જેથી કરીને બસ ચલાવી પોતાનું ગુજરાન ચલાવતા અને રોટિયું રળતા બસ ડ્રાઇવરને ખોટી રીતે બદનામ ના કરાય
તેવી જાગૃત નાગરિકો અને ડ્રાઈવર લોકોની માગણી છે…
સાથે કોઈપણ અખબાર કે સોશિયલ મીડિયા તેમજ યુટ્યુબ ચેનલ ના પત્રકારો ને જાગૃત નાગરિકો અને ડ્રાઈવર લોકોની વિનંતી છે કે,
સચ્ચાઈ જાણ્યા અને સમજ્યા વગર ખોટા સમાચારો ના ચલાવવા જોઈએ…હવે સત્ય હકીકત શું છે તે જાણવું તંત્ર ના તપાસ નો વિષય છે….
