ડાકોરમાં સામાન્ય વરસાદમાં પાણી ભરાયા
યાત્રાધામ ડાકોરમાં ગુરૂવારના રોજ સામાન્ય વરસાદ પડતા શહેરના પુરુષોત્તમ ભુવન, પટેલ નગર પાસે, શાક માર્કેટ, ગોપાલપુરા નાકા પાસે પાણી ભરાઇ જતા નાગરિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો.
નગરપાલિકા દ્વારા કરવામાં આવેલ પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર કરી હોવાની ચર્ચા ટોક ઓફ ધી ટાઉન બની છે.
ડાકોર શહેરના પુરુષોત્તમ ભુવન પાસે ઠેર ઠેર પાણી ભરાતા શાક માર્કેટમાં શાક લેવા માટે આવેલ નાગરિકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
શાકભાજી વેચવા આવેલા લોકોને પણ હાલાકીનો સામનો કરવો પડે છે. રોડના લેવલથી ગટરનું લેવલ ઉપર છે
જેથી પાણી જવાનો રસ્તો નથી. જેના કારણે પાણી રોડ પર જ રહે છે.
નાગરિકોના જણાવ્યા મુજબ ગટરની કુંડીનું લેવલ નીચે હોય અથવા આ પાણીના નિકાલ માટે જગ્યા આપવામાં આવે તો પાણીનો નિકાલ થઈ જાય તેમ છે.
નગરપાલિકા દ્વારા પ્રિમોન્સૂન કામગીરીમાં પણ વેઠ ઉતારી હોય તેમ લાગી રહ્યું છે.
સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઉભી થઇ છે.
પાલિકા દ્વારા પાણી ભરાવવાની સમસ્યાનુ નિરાકરણ લાવે તેવી વૈષ્ણવો અને ડાકોરના સ્થાનિક નાગરિકોએ માંગ કરી છે.
ગટરની સમસ્યાનું નિરાકરણ કરીશું પુરષોત્તમ ભુવનની દીવાલ બાજુ ચણતર કરી દીધું હોવાથી માણસ ને જવાની જગ્યા નથી
તો અમે ત્યાં કઈ રીતે સાફ સફાઈ અને પાણી નો નિકાલ કરી શકીએ ?
ગટરની સમસ્યાનું નિરાકરણ કરી આપીશું. > રાજેશ પટેલ, ઇન્ચાર્જ પ્રમુખ, ડાકોર નગરપાલિકા