સંતરામપુર : સરકારી સસ્તા અનાજની દુકાન નો ચોરી નો માલ ફતેપુરા નાં વેપારી દ્વારા વેચાણ રાખવામાં આવેલ..

મોટીકયાર ગામે આવેલ સરકારી સસ્તા અનાજની દુકાન નાં મુળ
જુના સંચાલક વિનોદભાઈ દેવાભાઇ તાવિયાડ નાંઓ અને
રણજીત શના પગી રહે.પડાદરા.તા.કડાણા તથા
દિનેશ મનસુખ તાવિયાડ રહે.મોટીકયાર.
નાઓએ ભેગા મળીને મોટીકયાર ગામે આવેલ
સરકારી સસ્તા અનાજની દુકાન નાં શટર ના નકુચા તાળા તોડી ને દુકાન માં રાખેલ
સરકારી અનાજનો જથ્થો.મોરસ વિગેરે ની અંદાજીત કિંમત રુપિયા 1,56,643.ની તસ્કરી કરીને
આ ચોરીનો સરકારી અનાજનો જથ્થો
પિક અપ ગાડી માં ભરીને ફતેપુરા ઉખરેલી રોડ પર આવેલ અનાજના વેપારી ને ત્યાં વેચી દીધેલ.
એએસપી વિવેક ભેડાનાં માગૅદશૅન હેઠળ પોસઈ પલાસ દ્વારા આ ગુના ની કડી મેળવી ને આ ગુનામાં સંડોવાયેલા
જુના સંચાલક વિનોદભાઈ દેવાભાઇ તાવિયાડ ની તથા
રણજીત શના પગી,દિનેશ મનસુખ તાવિયાડ નાઓની અટકાયત કરેલ
ને ચોરેલ મુદ્દામાલ પૈકી કેટલો મુદ્દામાલ આરોપીઓ એ જ્યાં વેચેલ
તે વેપારી ની દુકાનમાંથી કાયદેસરની કાર્યવાહી કરીને કબજે કર્યો હતો.
આ ધટના માં પકડાયેલ આરોપીઓ વિનોદભાઈ દેવાભાઇ તાવિયાડ તથા
રણજીત શના પગી તથાં દિનેશભાઇ મનસુખ તાવિયાડ નાં ઓ ને સંતરામપુર કોટૅમા રજું કરેલ ને
આ ગુનામાં અન્ય આરોપીઓ ને પકડવા ના હોય ને
ચોરાયેલ મુદદામાલ પૈકી હજુ કેટલોક મુદ્દામાલ પણ કબજે કરવાનો બાકી હોઈ
અને બીજા પણ કોઈ આરોપીઓ આ ગુન્હાહિત પ્રવૃત્તિ માં છે કે નહીં તેની તપાસ કરવા માટે આરોપીઓ ની જરૂર હોઈ
તપાસ કરનાર પોલીસ અધિકારી દ્વારા સંતરામપુર કોટૅમા આ આરોપીઓ ના પોલીસ દ્વારા રિમાન્ડ મેળવવા અરજી કરવામાં આવેલ છે
રિમાન્ડ અરજી નું સંતરામપુર ના મે.એડિશનલ ચીફ જયુડીશીયલ. મેજીસ્ટ્રેટ મેમણ ની અદાલત મા
હિયરિંગ થતા તપાસ કરનાર અધિકારી અને સરકારી વકીલ ડાભી ને આરોપીઓ તરફે ની દલીલો સાંભળ્યા બાદ
આ ગંભીર ગુનામાં સંડોવાયેલા આરોપીઓ નાંતારીખ 23-08-2024 સુધીના પોલીસ રિમાન્ડ મંજૂર કરેલ છે.
સદર ગુનામાં પોલીસે સરકારી સસ્તા અનાજની દુકાન નો ચોરી નો જથ્થો
ફતેપુરા નાં વેપારી દ્વારા વેચાણ રાખવામાં આવેલ હોવાથી આ ગુનામાં તપાસ
દરમ્યાન જોગવાઈ મુજબ ની બીજી કલમોનો ઉમેરો કરવા માટે પણ કોર્ટ માં અરજી આપેલ છે.