દાહોદ : ધાનપુર બ્લોકમાં મનરેગા અંતર્ગત ચાલતા કામો મા ભરપેટ ભ્રષ્ટાચાર…
![પ્રતિકાત્મક તસ્વીર : મનરેગા અંતર્ગત ચાલતા કામો મા ભરપેટ ભ્રષ્ટાચાર...](http://cpnews24.in/wp-content/uploads/2022/10/bhrastachar-1-300x193.jpeg)
ધાનપુર બ્લોકમાં મનરેગા અંતર્ગત ચાલતા કામો માં તારીખ ૨૯.૯.૨૦૨૨ ના રોજ ગ્રાન્ટ જમાં થઈ છે …
પરંતુ કામ ની સ્થળ તપાસ અને રૂબરૂ મુલાકાત કરતા ત્યાં કશું જ કામ કરેલ નથી
અને ખાસ અગત્ય ની વાત તો એ છે કે
જે તે ગામ ના સરપંચ ને પણ આ થએલ કામ ની ખબર પણ નથી.
ઓનલાઇન સાઈટ ઉપર બિલ નંબર પર ક્લિક કરશો તો જે તે એજન્સી ના નામ સામે આવશે …
જે ફક્ત બારીયા વિધાનસભા ના ધારાસભ્ય ના ઘર ની એજન્સી છે …
DRDA ના નિવૃત્ત અધિકારી શ્રી બલાત એ નિવૃત્ત થતાં થતાં ૨૨ કરોડ ની મંજૂરી ફક્ત આ ઉપર ની એજન્સી ને આપી છે.
આ કરોડો ના ભ્રષ્ટાચારમાં ધારાસભ્ય શ્રી બચુભાઈ ખાબડ તેઓના બંને દીકરાઓ
અને વહીવટી તંત્રમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી
તથા દાહોદના સાંસદ
બધા ના તાલ મેલ અને હતાખટ થી
આ કરોડોનો વ્યવસાય અને ભ્રષ્ટાચાર દાહોદ જિલ્લામાં ચાલી રહ્યો છે
કરેલા કામોના લેબરના પૈસા પણ જુઓ
તપાસવામાં આવે તો શાળાઓના બાળકોના ખાતામાં પૈસા પડેલા છે
અને આ બધાના એટીએમ આ ઉપરના નેતાઓના માન્યતા પ્રાપ્ત કાર્યકર્તાઓ પાસે રહે છે
જે એટીએમ માંથી લેબરના પૈસા પણ ઉપાડી લે છે
કરોડો અબજો રૂપિયા ના બોગસ કામો અને બેવડાયેલા કામો
પોતાના માનનીતા અને કયાગરા પાલતુ તલાટી અને અધિકારીઓ ને રાખી
આ ઉપરના નેતાઓ દ્વારા
આખા દાહોદ જિલ્લામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર ચાલી રહ્યો હોવાનુ લોક મુખે ચર્ચાઈ રહ્યુ છે..
ઉપરી તંત્ર સત્વરે આ ઉપર તટસ્થ તપાસ હાથ ધરે તો
આ ઉપરાંત પણ ઘણુ બધુ બહાર આવે તેમ હોવાનુ ચર્ચાઈ રહેલ જોવા મળે છે..